બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Ronak
Last Updated: 10:32 AM, 4 November 2021
સામાન્ય રીતે કોઇ પુસ્તકનું વિમોચન કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં થતા તમે જોયું હશે કે જ્યાં અલગ જ પ્રકારનો ઝાકમ ઝોળ હોય છે...પરંતુ અમદાવાદમાં એક પુસ્તકનું વિમોચન સ્મશાનગૃહમાં યોજવામાં આવ્યું.
અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર પુસ્તકનું નામ
જે પુસ્તકનું વિમોચન સ્મશાન ગૃહમાં યોજવામાં આવ્યું છે તે પુસ્તકનું નામ છે અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર. કાળીચૌદશની રાત્રે લોકો અનેક પ્રકારની અંધશ્રદ્ધા સાથે જોડાયેલા હોય છે ત્યારે લોકો અંધશ્રદ્ધાથી મુક્ત બને એવા પ્રયત્નો કરતા રેશનાલિસ્ટોના ગ્રુપના સભ્ય અને લેખક જીતેન્દ્ર વાઘેલાએ આ પુસ્તક લખ્યું છે.
સ્મશાન ગૃહમાં કરાયું પુસ્તકનું વિમોચન
પુસ્તકના લેખક સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ કરવા માંગે છે અને એટલે જ અંધશ્રદ્ધા પર પુસ્તક લખ્યું અને ક્યારેય વિમોચન ના થયું હોય એવા સ્મશાન ગૃહમાં પુસ્તકનું વિમોચન કરાયું...સ્મશાનમાં જ્યાં મૃતદેહોને મુખાગ્નિ આપવામાં આવે છે એ જગ્યા પર પુસ્તક રાખવામાં આવ્યું...અને ત્યારબાદ તેનું વિમોચન કરાયું.
મહિલાઓ પણ મોટી સંખ્યામા જોવા મળી
ઉલ્લેખનીય છે કે પુસ્તકના વિમોચનમાં પ્રમાણમાં મહિલાઓ પણ જોવા મળી, જ્યાં શાસ્ત્રોમાં અથવા તો માન્યતાઓ મુજબ મહિલાઓએ સ્મશાનમાં આવવાની મનાઈ હોય છે ત્યાં આ પુસ્તક વિમોચનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ