બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Tensions rise over rain due to El Nino, not a cyclone, know what the Meteorological Department says
Priyakant
Last Updated: 12:28 PM, 9 June 2023
ચોમાસું ગુરુવારે કેરળમાં પહોંચ્યું છે અને આ મહીનાના અંત સુધીમાં દેશમાં મોટાભાગોમાં પહોંચી શકે છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ચોમાસાના આગમન ટાણે હવે અલનીનો પણ સક્રિય છે. આ સાથે આ અલનીનો સમગ્ર ચોમાસા દરમિયાન પણ ચાલુ રહેવાની સંભાવના છે. જેને લઈ હવે આ વર્ષે અલનીનોની અસરને કારણે ચોમાસામાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે.
દેશમાં ચોમાસાની ગતિવિધિ જુનના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય છે અને 15 જુલાઇ સુધી ચાલે છે. આ દરમિયાન લગભગ તમામ રાજ્યોમાં વરસાદ પડે છે. આ તરફ હવે અમેરિકન હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે, અલનીનોની સ્થિતિ સર્જાઇ છે અને તે શિયાળા સુધી રહી શકે છે.
અલનીનો કેમ સક્રિય થાય છે ?
અલનીનોની સ્થિતિ પ્રશાંત મહાસાગરના પાણીના 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવાને કારણે ઊભી થાય છે. આ વારંવાર ચોમાસાને અસર કરે છે અને વરસાદને ઘટાડે છે.
અલનીનો સક્રિય થયા શું અસર થાય છે ?
જોકે નોંધનીય છે કે, અલનીનોની અસરને કારણે દર વખતે આવું નથી થયું. કેટલીકવાર અલનીનોની અસર પછી પણ સામાન્ય અથવા તેના કરતાં થોડો ઓછો વરસાદ પડે છે. અલનીનો સામાન્ય રીતે 4 વર્ષના અંતરાલ પર સક્રિય હોય છે. નોંધનીય છે કે, અગાઉ 2018-19માં અલનીનો સક્રિય હતું.
શું કહ્યું અમેરિકન હવામાન એજન્સીઓએ ?
ગુરુવારે અમેરિકન હવામાન એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પેસિફિક મહાસાગરમાં અલનીનોની સ્થિતિ બનવાનું શરૂ થઈ ગયું છે. સમુદ્રના પાણીનું તાપમાન સરેરાશ કરતાં 0.5 ડિગ્રી સેલ્સિયસ વધુ ગયું છે.
વિશ્વભરની હવામાન એજન્સીઓએ પણ કરી છે આગાહી
તમને જણાવી દઈએ કે, છેલ્લા 2 મહિનામાં વિશ્વભરની હવામાન એજન્સીઓએ આગાહી કરી છે કે, આ ચોમાસામાં અલનીનો સક્રિય થઈ શકે છે. આ આગાહી સાચી સાબિત થઈ શકે છે. જોકે ભારતમાં તેની અસર કેટલી થશે તે જોવાનું રહેશે. આ તરફ હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે દેશમાં આ સરેરાશ વરસાદ પડશે.
અલનીનો ભારતમાં 22 વર્ષમાં કેટલી વખત સક્રિય થયું
વિગતો મુજબ અલનીનો વર્ષ 2000થી ભારતમાં 6 વખત સક્રિય થયું છે. સામાન્ય રીતે તે ચોમાસાની ઋતુમાં જ સક્રિય થાય છે અને તેની અસર વરસાદમાં ઘટાડાના રૂપમાં જોવા મળે છે. આ સાથે વર્ષ 2006માં જ્યારે સપ્ટેમ્બરમાં અલનીનો સક્રિય થયું ત્યારે તેણી ચોમાસા પર વધુ અસર જોવા મળી હતી. આ સિવાય બાકીના 5 વર્ષોમાં ઓછો વરસાદ પડ્યો હતો. જોકે આ વર્ષોમાં દેશમાં 90 ટકાથી ઓછો વરસાદ પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime