બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / team india coach shitanshu kotak said prasidh krishna and jasprit bumrah will play the 3rd t20

ક્રિકેટ / ત્રીજી T20 મેચમાં આ બે ખેલાડીઓના સ્થાન પાક્કા, ટીમ ઇન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો

Manisha Jogi

Last Updated: 03:09 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની 3 મેચની T20 સીરિઝની પહેલી મેચમાં જીત મેળવી છે અને 2-0થી આગળ છે. સિતાંશુ કોટકે પ્લેઈંગ 11 બાબતે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

  • ભારતીય ક્રિકેટ ટીમ 2-0થી આગળ
  • સિતાંશુ કોટકે પ્લેઈંગ 11 બાબતે ખુલાસો કર્યો
  • આ બે ખેલાડી ત્રીજી ટી20 રમશે

ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની 3 મેચની T20 સીરિઝની પહેલી મેચમાં જીત મેળવી છે અને 2-0થી આગળ છે. આ સીરિઝની છેલ્લી મેચ આજે રમવામાં આવશે. આજે પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. ટીમના મુખ્ય કોચ બનીને આયર્લેન્ડ ગયેલ સિતાંશુ કોટકે પ્લેઈંગ 11 બાબતે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. 

આ બે ખેલાડી ત્રીજી ટી20 રમશે
જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઈજાગ્રસ્ત થયા પછી શાનદાર વાપસી કરી છે. આ બે ખેલાડીઓએ વર્લ્ડ કપ પહેલા વધુ મેચ રમવાની જરૂર છે. આયર્લેન્ડ પ્રવાસ પર ગયેલ રમવામાં આવેલ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં બુમરાહ અને કૃષ્ણાએ સતત બે વિકેટ લીધી છે. આ બે ખેલલાડીઓ આજે પણ રમશે. 

ગયેલ સિતાંશુ કોટક જણાવે છે કે, તેઓ પર કોઈ પ્રકારનું પ્રેશર નહોતું. તેઓ ખૂબ જ સમજુ બોલર છે. તેમની બોલિંગ જોઈને ક્યારેય પણ એવું લાગ્યું નથી કે, તેમણે પ્રેક્ટીસની જરૂર છે. તેઓ પડકાર માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ખેલાડીઓએ વર્લ્ડ કપ પહેલા કેટલીક મેચ રમવાની જરૂર છે. તેમને આ સીરિઝમાં ત્રણ મેચ અને એશિયા કપમાં કેટલીક મેચ રમવાની તક મળી શકે છે. 

તિલક વર્મા બાબતે નિવેદન
તિલક વર્મા આયર્લેન્ડ સામેની મેચમાં સફળ રહી શક્યા નથી. જે બાબતે સિતાંશુ કોટક જણાવે છે કે, તિલક વર્માએ નેટ સેશનમાં વધુ સમય આપવાની ઈચ્છા જણાવી છે. તિલક વર્મા આ સીરિઝમાં માત્ર શૂન્ય અને એક રન બનાવી શક્યા છે. તેઓ વધુ પ્રેક્ટીસ કરવા માંગે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ