બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / મનોરંજન / Politics / Swamy's shocking statement, Sushant's murder, Bollywood's "watergate" case
Kavan
Last Updated: 06:16 PM, 16 August 2020
ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ન્યાયની માંગણી કરી છે. તેઓ ઘણા દિવસોથી આ મામલાને લઈને એક્ટિવ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હવે સ્વામીએ રવિવારે એક ટ્વીટ કરીને સુશાંત સિંહ મૃત્યુ કેસને બોલીવુડનું વોટરગેટ ગણાવ્યું છે.
સુશાંતની આત્મ હત્યા નહીં, પણ હત્યા કરાઇ હોવાનો દાવો
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનું 'મર્ડર' એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર માટે વોટરલૂ અને વોટરગેટ છે. ત્યાં સુધી આપણે આ મામલામાં ન્યાય નહીં મળે ત્યાં સુધી છોડવું જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સ્વામીએ સુશાંત સિંહના મોતને ખૂન ગણાવ્યું છે. આ પહેલા પણ તેણે આ પ્રકારના આક્ષેપો કર્યા હતા અને 26 કારણોને તેની તરફેણમાં ગણાવી દીધા હતા. સુશાંતના રૂમમાં મળી રહેલી એન્ટી-ડિપ્રેસન દવાઓ વિશે, પણ તેમણે કેટલાય દાવાઑ કર્યા હતા.
Sushant Singh Rajput’s murder is Waterloo and Watergate for Bollywood, Mumbai Police and Maharashtra government. Fasten your seat belts as we are. about to take off and bombard & won’t give up till either guilty are brought to justice or justice is brought to the guilty.
— Subramanian Swamy (@Swamy39) August 16, 2020
શું હતું વોટરગેટ કૌભાંડ?
તમને જણાવી દઈએ કે, વોટરગેટ કૌભાંડ અમેરિકી રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સન સાથે જોડાયેલું હતું, જેમાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટનાની અમેરિકાના રાજકારણ પર ખૂબ જ ઊંડી છાપ પડી હતી, રિચાર્ડ નિક્સન પર જાસૂસીનો આરોપ હતો. આ ઘટના 70 ના દાયકાની છે. અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ નિક્સનને રાજીનામું આપવું પડ્યું હતું.
સ્વામીએ કરી હતી CBI, NIA, EDના તપાસની માંગણી
સુબ્રમણ્યમ સ્વામીએ CBI, NIA અને ED પાસે આ મામલાની તપાસ કરવા માંગ કરી હતી. આ માટે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે પોતે ટ્વીટ કર્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નિર્દેશ આપવા વિનંતી કરી છે અને NIA ને મોત દરમિયાનના સંજોગોની તપાસ કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આ કેસ સીબીઆઈને સોંપાયો હતો. ED પણ આ બાબતે વિવિધ ખૂણાથી તપાસ કરી રહી છે.
દેવેન્દ્ર ફડણવીસે પણ ઠાકરે સરેકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલો
બીજી તરફ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે શિવસેના સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. સુશાંત કેસમાં તપાસમાં શિથિલતાનો આરોપ લગાવતા ફડણવીસે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં પોલીસ દબાણમાં કામ કરી રહી છે.
ફડણવીસે કહ્યું હતું કે, 'મહારાષ્ટ્ર પોલીસ શું છે, હું જાણું છું. મારા પાંચ વર્ષના અનુભવમાં હું તેની ક્ષમતાથી સારી રીતે પરિચિત છું. મારું માનવું છે કે પોલીસે કોઈના દબાણમાં કામ ન કરવું જોઈએ CBI તપાસ અંગે તેમણે કહ્યું કે લોકોની લાગણી એ છે કે CBIએ આ કેસની તપાસ કરવી જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ