બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ભારત / Politics / તો દેશમાં ક્યારથી લાગુ થશે One Nation One Election? રાજનાથસિંહે કરી સ્પષ્ટતા
Last Updated: 01:05 PM, 6 May 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કેન્દ્રમાં ફરી સત્તામાં આવે છે તો તે સમગ્ર દેશમાં 'વન નેશન-વન ઇલેક્શન' સિસ્ટમ લાગુ કરશે. કુડ્ડાપાહ જિલ્લાના જમ્માલામાદુગુ ખાતે ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસ સરકારની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે, તેના ભ્રષ્ટાચારને કારણે રાજ્ય 13.5 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
ADVERTISEMENT
વન નેશન વન ઇલેક્શન લાગુ કરીશું: રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે YSRCP પર નિશાન સાધતા કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિને કારણે લોકો શાસક પક્ષથી કંટાળી ગયા છે અને ખાતરી આપી છે કે જો આંધ્રપ્રદેશમાં NDA સત્તા પર આવશે તો રાજ્યને 'ભ્રષ્ટાચાર'થી મુક્ત કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની સાથે લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમારી પ્રતિબદ્ધતા એ છે કે, અમે આગામી પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરીશું જેથી સમય અને શક્તિની બચત થાય.
ADVERTISEMENT
Addressing a public meeting at Jammalamadugu in Kadpa (Aandhra Pradesh) https://t.co/w9N80VU1Pj
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) May 5, 2024
10 વર્ષ પછી તમે કોઈપણ બાળકને પૂછશો તો તે કહેશે કે કોંગ્રેસ પાર્ટી......
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પરથી ડાયનાસોર ગાયબ થઈ ગયા હતા તેવી જ રીતે સૌથી જૂની પાર્ટી દેશના રાજકીય માહોલમાંથી અદૃશ્ય થઈ જશે. 10 વર્ષ પછી તમે કોઈપણ બાળકને પૂછશો તો તે કહેશે કે કોંગ્રેસ પાર્ટી શું છે. પાકિસ્તાનમાં રાહુલ ગાંધીના વખાણ થાય છે તેવો આક્ષેપ કરતાં તેમણે કહ્યું કે, ગાંધી પરિવારને ભારતમાં રાજકારણ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ જોકે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવને અવગણ્યા પરંતુ NDA એ જ તેમને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કર્યો હતો. તેમણે કહ્યું કે, મોદી વડાપ્રધાન બન્યા બાદ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સાડા ચાર કલાક રોકાઈ ગયું હતું......
રાજનાથ સિંહે કહ્યું કે, મોદીના નેતૃત્વમાં દેશના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે મોદીના કારણે જ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સાડા ચાર કલાક રોકાઈ ગયું હતું જેથી ભારત પોતાના 22,000 નાગરિકોને બહાર કાઢી શક્યું. ભાજપના નેતાઓએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ અગાઉ સત્તામાં હતી ત્યારે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો હતા, જ્યારે અટલ બિહારી વાજપેયી કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારો પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લગાવવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે ભાજપે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ, કલમ 370 હટાવવા અને ટ્રિપલ તલાક નાબૂદ જેવા વચનો પૂરા કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT