બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Swami Swaroopananda was given Samadhi along with political honours
Kishor
Last Updated: 11:03 PM, 12 September 2022
હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરુ અને દ્વારકાની શારદાપીઠ તથા ઉત્તરાખંડમાં સ્થિત જ્યોતિમઠની બદ્રીપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી ગઇકાલે બ્રહ્મલિન થયા હતા. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં લાંબી માંદગી બાદ જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ આજે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતીને સંત પરંપરા મુજબ બપોરે 3.30 વાગ્યાની આસપાસ રાજકીય સન્માન સાથે સમાધિ આપવામાં આવી હતી. આ અગાઉ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજીના પાર્થિવ દેહની પાલખીની યાત્રા કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ અંતિમ દર્શન કર્યા હતા.આ દરમિયાન હજારો ભક્તો ભીની આંખો સાથે તેમના ગુરુને અંતિમ વિદાય આપવા માટે એકઠા થયા હતા.
धर्म के ध्वजवाहक, हमारी संस्कृति एवं जीवन मूल्यों के पोषक, योद्धा सन्यासी जिन्होंने देश को आजाद कराने की लड़ाई लड़ी और करोड़ों करोड़ भक्तों को सन्मार्ग पर चलने की प्रेरणा दी, ऐसे परम पूज्य शंकराचार्य जी महाराज ब्रह्मलीन हो गए। pic.twitter.com/fD6daXyTU1
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) September 12, 2022
શંકરાચાર્યજી સનાતન ધર્મના સૂર્ય હતા : શિવરાજસિંહ
શંકરાચાર્યજીના વંદન કરવા શિવરાજસિંહ ચૌહાણ નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમ ગયા હતા. જ્યાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતીના દેવલોક જવા પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ સનાતન ધર્મના સૂર્ય હતા. હવે મધ્યપ્રદેશ વેરાન બની ગયું છે. હું મધ્યપ્રદેશના 8.5 કરોડ લોકો વતી તેમના ચરણોમાં નમન કરું છું. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે ધર્મના ધ્વજ ધારકો આપણી સંસ્કૃતિ અને જીવન મૂલ્યોના યોદ્ધાઓને પોષતા હતા.
શંકરાચાર્યજીએ બતાવેલ માર્ગ પર અમે ચાલવાનો પ્રયત્ન કરીશું : શિવરાજસિંહ
શ્રદ્ધાંજલિ આપતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ 9 વર્ષની વયે ઘર છોડી ગયા હતા. તેઓ વેદ, ઉપનિષદ, શાસ્ત્રોના જાણકાર હતા જેઑએ પોતાનું આખું જીવન સનાતન ધર્મના પ્રચારમાં વિતાવ્યું હતું. ગરીબ, દલિત, આદિવાસીઓની સેવા માટે તેમણે આંખની હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, હોસ્પિટલ સહિતના અનેક પ્રોજેક્ટ સ્થાપ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે શંકરાચાર્યજીએ બતાવેલ માર્ગ પર અમે ચાલવાનો પ્રયત્ન કરીશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ