બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Surya Gochar 2023 in Scorpio sun transit is unauspicious for these 4 zodiac sign

Surya Gochar 2023 / કન્યા-કુંભ અને મકર... આ રાશિના જાતકોએ 30 દિવસ ખૂબ સાચવવું પડશે: અનિચ્છનીય ખર્ચા, લડાઈ-ઝઘડા અને ટેન્શન... સૂર્યના કારણે આવશે તકલીફો

Arohi

Last Updated: 01:54 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Gochar 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર 30 દિવસમાં પોતાની રાશિ પરિવર્તન કરે છે. 17 નવેમ્બરે સૂર્યએ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી લીધો છે.

  • 30 દિવસ ખૂબ સાચવે આ રાશિના લોકો 
  • નહીં તો સૂર્યના કારણે થઈ શકે છે મુશ્કેલી 
  • વધી શકે છે અનિચ્છનીય ખર્ચા, લડાઈ-ઝઘડા અને ટેન્શન... 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર ગ્રહ ગોચર કરે છે. સૂર્ય દર 30 દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. નવેમ્બરમાં સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. ગ્રહોના રાજા સૂર્યના ગોચર કરવાથી દરેક 12 રાશિના લોકોના જીવન પ્રભાવિત થશે. 

સૂર્યના રાશિ બદલવાથી તેનો પ્રભાવ વ્યક્તિના દરેક અંગો પર પણ પડે છે. સૂર્યનું ગોચર જ્યાં અમુક રાશિના લોકો માટે શુભ અને ફળદાયી રહેશે. ત્યાં જ અમુક રાશિના જાતકોને આ સમયે સંભાળવું પડશે. આવો જાણીએ સૂર્યનું ગોચર કઈ ત્રણ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરશે. 

મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના ગોચર કરવાથી મકર રાશિના લોકોના ખિસ્સા પર તેની ભારે અસર પડશે. આ સમયે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડશે. સાથે જ વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. માનસિક તણાવ થઈ શકે છે. એક મહિનો મકર રાશિના લોકોને વિવાદોથી દૂર રહેવાનું રહેશે. 

કુંભ 
જણાવી દઈએ કે 17 નવેમ્બરે સૂર્યએ વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યું છે. એવામાં આ રાશિના જાતકોને ખાસ સાવધાન રહેવાનું રહેશે. જણાવી દઈએ કે સૂર્યનું આ ગોચર આ રાશિના લોકો માટે સારૂ નથી માનવામાં આવી રહ્યુ. એવામાં આ લોકોનો જીવસાથી સાથે ઝગડો થઈ શકે છે.  

આટલું જ નહીં વ્યક્તિને કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાનું રહેશે. વ્યક્તિને આ સમયમાં ધૈર્યથી કામ લેવું પડશે. જો કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો આ સમયે ન કરો. 

કન્યા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકો માટે આ સમય યોગ્ય નથી માનવામાં આવી રહ્યો. આ સમયે વ્યક્તિને કોઈ પણ વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં તેના ઉપરાંત આર્થિક જીવનમાં પણ રૂપિયાને લઈને ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. માનસિક વિકાર ઉત્પન્ન થઈ શકે છે. આ રાશિના લોકોએ લડાઈ ઝગડાથી દૂર રહેવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ