બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Kishor
Last Updated: 12:07 AM, 2 November 2022
સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન ખાતે રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેના ભાણેજે પચાવી પાડ્યું હતું. સિનિયર સિટીઝન પોલીસ સ્ટેશન પહોંચતા જ સુરત પોલીસ કમિશનરે પોલીસ અધિકારીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને પારિવારિક સમાધાન કરાવી વૃદ્ધને પોતાનું મકાન પરત અપાવ્યું હતું.
ભાણેજને રહેવા માટે મકાન આપતા ભાણેજે કર્યો હતો કબજો
આ કેસની વિગત એવી છે કે રસિકલાલ પટેલ નામના વૃદ્ધ પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલ પટેલનું મકાન સુરતના ઉધના વિસ્તારમાં હતું અને તેમને પોતાનું મકાન 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યું હતું. રસિકલાલ પટેલ ભાણેજ પાસેથી મકાન ભાડું કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા માટે આપ્યું હતું. ત્યારબાદ 16 સપ્ટેમ્બરના રોજ રસિકલાલ પટેલે સુરત આવી પોતાનું મકાન ખાલી કરવા સૂચના આપી હતી. રસિકલાલ પટેલના ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધું હતું કે મકાન ખાલી કરાવું હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે.
રસિકલાલ પટેલે સુરત પોલીસનો માન્યો આભાર
જેથી પોતાનું મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશનમાં ગયા હતા અને સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને જાણ કરતા તેઑએ પોલીસને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશન બોલાવીને આ સમગ્ર મામલે ભાણેજને કાયદાના પાઠ ભણાવ્યા હતા. વધુમાં પારિવારિક સમાધાન કરાવ્યું હતું.જેને લઇને રસિકલાલ પટેલને પોતાનું ઘર પરત મળી ગયું હતું. આથી રસિકલાલ પટેલે સુરત પોલીસ કમીશનર અને પોલીસ તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ