બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Supreme Court relief to BJP leader Shahnawaz Hussain
Priyakant
Last Updated: 01:48 PM, 22 August 2022
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસૈનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે સૈયદ શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં બિહારના ભૂતપૂર્વ પ્રધાન સામે બળાત્કાર અને ધાકધમકીના આરોપમાં એફઆઈઆર નોંધવાનું કહ્યું હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. આ પહેલા 18 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા બીજેપી નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કરી એફઆઈઆર નોંધવા આદેશ કર્યો હતો. એટલું જ નહીં કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.
Supreme Court stays further proceedings before the trial case in connection with the criminal complaint filed against BJP leader Shahnawaz Hussain in the alleged 2018 rape case. SC also stays the Delhi HC's recent order to register FIR against Hussain in the case.
— ANI (@ANI) August 22, 2022
(file pic) pic.twitter.com/S5S111Sr4a
દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતાં સ્પષ્ટ થાય છે કે, આ કેસમાં એફઆઈઆર નોંધવામાં પોલીસ તરફથી સંપૂર્ણ અનિચ્છા હતી. હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ દ્વારા નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અહેવાલ અંતિમ રિપોર્ટ નથી.
શું છે સમગ્ર મામલો ?
જાન્યુઆરી 2018માં દિલ્હીમાં રહેતી એક મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરીને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પહેલા પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો કે, શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. કોર્ટે કહ્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનાનો કેસ છે. કોર્ટે જુલાઈ 2018માં શાહનવાઝ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો, આ નિર્ણયને ભાજપના નેતાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હવે શાહનવાઝને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime