બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Sunil Kanugolu whose strategy uprooted KCR's party in Telangana, earlier also played an important role in winning the BJP

રણનીતિકાર / કોણ છે આ ચૂંટણી વ્યૂહરચનાકાર? જેની સ્ટ્રેટેજીએ તેલંગાણામાં KCRની પાર્ટીને ઉખાડી ફેંકી, અગાઉ ભાજપને પણ જીતાડવામાં હતો મહત્વનો રોલ

Megha

Last Updated: 12:01 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં કોંગ્રેસની બહુમતી સાથે સરકાર બની છે પણ આ ઐતિહાસિક જીત પાછળ એક બિનકોંગ્રેસી રણનીતિકાર છે. એમની વ્યૂહરચનાથી જ KCRની આગેવાની BRS સરકાર પડી ભાંગી.

  • તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઇકાલે આવી ગયા 
  • તેલંગાણામાં કોંગ્રેસની બહુમતી સાથે સરકાર બની છે
  • કોંગ્રેસની આ ઐતિહાસિક જીત પાછળ એક બિનકોંગ્રેસી વ્યક્તિ છે

ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઇકાલે આવી ગયા હતા. આ ચારમાંથી ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ જંગી બહુમતી સાથે વાપસી કરી હતી. જો કે તેલંગાણામાં કોંગ્રેસની બહુમતી સાથે સરકાર બની છે. 

વાસ્તવમાં કોંગ્રેસની આ ઐતિહાસિક જીત પાછળ એક બિનકોંગ્રેસી વ્યક્તિ છે જેનું નામ છે સુનીલ કાનુગોલુ. સુનીલ કાનુગોલુ એ જ રણનીતિકાર છે જેમણે ચૂંટણી પહેલા આ રાજ્યમાં પાર્ટી માટે શતરંજનો પાયો નાખ્યો હતો. તેમની વ્યૂહરચના ફળીભૂત થઈ અને KCRની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સરકાર પડી ભાંગી.

વાત એમ છે કે આ સુનીલ કાનુગોલુને બે વર્ષ પહેલા મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ ચૂંટણીની રણનીતિ ઘડવા માટે તેમને હૈદરાબાદ પાસેના તેમના ફાર્મ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું. સુનીલને તાજેતરમાં તમિલનાડુ ચૂંટણી પ્રચારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને તે નવી જવાબદારીઓ લેવા માટે તૈયાર હતો. ઘણા દિવસો સુધી બેઠકો ચાલુ રહી અને અંતે તેણે KCR માટે કામ ન કરવાનો નિર્ણય લીધો. 

થોડા દિવસો પછી, બધાને આશ્ચર્યચકિત કરીને સુનીલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) ની ચૂંટણી વ્યૂહરચના સમિતિના અધ્યક્ષ તરીકે કોંગ્રેસમાં જોડાયો અને તે જ KCR પાસેથી આગેવાની લીધી. આજે કેસીઆરને સુનીલને પોતાના પક્ષમાં ન લેવાના નિર્ણય પર પસ્તાવો થતો હશે. કદાચ છેલ્લા કેટલાક વર્ષોમાં આ તેની સૌથી મોટી ભૂલોમાંથી એક છે.

રાહુલ ગાંધી સાથે ખાસ જોડાણ
સુનીલ કાનુગોલુ માત્ર એક ઉત્તમ ચૂંટણી રણનીતિકાર જ નથી પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સાથે પણ તેમનું ખાસ જોડાણ છે. સુનીલને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના સીધા સલાહકાર પણ માનવામાં આવે છે.  સુનીલને માત્ર ચૂંટણી વ્યૂહરચનાનો માસ્ટરમાઈન્ડ કહેવાતો નથી, આ સિવાય તેણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ભારત જોડો યાત્રાના મુખ્ય ભાગનું આયોજન કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જણાવી દઈએ કે કોંગ્રેસ પહેલા સુનીલ કાનુગોલુ અન્ય રાજકીય પક્ષો સાથે પણ કામ કરી ચુક્યા છે. તેમાં મુખ્યત્વે AIADMK, ભારતીય જનતા પાર્ટી અને DMKનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Sunil Kanugolu Telangana Assembly Election Results 2023 Telangana Assembly elections તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 સુનીલ કાનુગોલુ Assembly Elections 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ