બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Malay
Last Updated: 01:45 PM, 14 August 2023
અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થયો છે. શહેરમાં એક જ દિવસમાં 4 આપઘાતના બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર આપઘાતના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ચારેય બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
એક જ દિવસમાં 4 લોકોએ ટૂંકાવ્યું જીવન
આ મામલે વિગતવાર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદના કૃષ્ણનગર, અમરાઈવાડી, બાપુનગર અને નારોલમાં આપઘાતના બનાવો બન્યા છે. મોટા ભાગના ગળેફાંસો ખાઈને આપઘાતના કિસ્સા છે. જેમાં શહેરના અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડા નામના યુવાને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે નારોલમાં એક યુવતીએ પાઈપ સાથે સાડી બાંધીને આપઘાત કર્યો છે. તો બાપુનગરમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ ઉપરાંત શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યો છે. ચારેય બનાવમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં મહિલાએ કર્યો આપઘાત
બાપુનગરમાં ગઈકાલે સાંજે અગમ્યા કારણોસર મહિલાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ થતાંની સાથે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
નારોલમાં યુવતી અને અમરાઈવાડીમાં યુવકે કરી આત્મહત્યા
અમરાઈવાડી વિસ્તારમાં શૈલેષ ચાવડાના નામના યુવાને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીંદગીનો અંત આણ્યો હતો. નારોલમાં 18 વર્ષીય યુવતીએ સાંજના સુમારે પાઈપ સાથે સાડીને બાંધીને આત્મહત્યા કરી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ