બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Sudden increase in demand of antibiotic and antiallergic drugs in Gujarat

વાયરસ ઍલર્ટ / ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી લોકો ચિંતિત

Malay

Last Updated: 02:04 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 20થી 25 દિવસમાં એન્ટીબાયોટિક, એન્ટીએલર્જિક દવાઓ અને કફસીરપની માગમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.

 

  • H3N2નો રાજ્યમાં વધી રહ્યો છે કહેર 
  • રાજ્યમાં દવાઓની એકાએક માંગ વધી 
  • દવાની માંગમાં 25થી 30 ટકાનો વધારો નોંધાયો 

ભારતમાં ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે 2 લોકોના મોત નોંધાયા છે. આ બંને કેસો હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં છે. કર્ણાટકનાં દર્દીને તાવ, ગળાંમાં ઈન્ફેક્શન, ઉધરસ જેવા ગંભીર લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. આ જાણકારી હેલ્થ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાહેર કરી હતી. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં H3N2 ઇન્ફ્લૂએન્ઝા વાયરસનો ખતરો વધતા ગુજરાતમાં દવાઓની એકાએક માંગ વધી છે. 

એન્ટીબાયોટિક દવાની માંગમાં વધારો
રાજ્યમાં એન્ટીબાયોટિક અને એન્ટીએલર્જિક દવાઓની માંગમાં  25થી 30%નો વધારો નોંધાયો છે. આ સાથે જ કફસીરપની માગમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાઓની માગ વધી છે. રાજ્યમાં ઝડપથી ફેલાતા વાયરલ ઇન્ફેક્શનથી ચિંતા વધી છે. 

શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાની માંગ વધી
આ અંગે માહિતી આપતા ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી ફરીથી પાછો જાણે કોરોના બેઠો થયો હોય એવી રીતની વાયરલ ઇફેક્ટો થવા લાગી છે. લોકોમાં ગળાનું ઇન્ફેક્શન, શરદી અને તાવની ફરિયાદો વધી છે. પરંતુ વેક્સિન લીધેલી છે એટલે મોટી અસર દેખાતી નથી. 

જસુભાઈ પટેલ (પ્રમુખ,ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન)

કફ સીરપની માંગમાં પણ ધરખમ વધારો
તેઓએ જણાવ્યું કે, વાયરલ ઇન્ફેક્શનના કારણે એન્ટીબાયોટિક અને એન્ટીએલરઝિક દવાઓની માંગ વધી છે. કફસીરપની માંગમાં પણ ધરખમ વધારો થયો છે. આ બધી દવાઓના વેચાણમાં લગભગ 25થી 30 ટકા જેટલો વધારો થયો છે. ઘણી જગ્યાએ લોકો જાત ઉપચાર કરવા જતાં હોય છે, પરંતુ એન્ટીબાયોટિક દવાઓ ડોક્ટરોને પૂછીને લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે, હોંગકોગ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જ છે. લોકોને એવું હતું કે સિઝન બદલાય એટલે આવું થાય છે. પરંતુ જે સ્પીડે ઘરમાં એકને થાય એટલે બધાને તેનો ચેપ લાગે છે. ભૂતકાળમાં કોરોનાનું જે રૂપ હતું એવું જ દેખાય છે. 

કર્ણાટકમાં દર્દીનું થયું હતું મોત
ઈન્ફ્લૂએન્ઝા H3N2ના કારણે હરિયાણા અને કર્ણાટકમાં 1-1 લોકોના મોત થયા છે. કર્ણાટકમાં 82 વર્ષના હાસન જિલ્લાના અલૂર તાલુકાના દર્દીને 24 ફેબ્રુઆરીના રોજ હાસન ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આ દર્દીનું 1 માર્ચના રોજ મોત થયું હતું.

શનિવારે ખાસ બેઠકનું આયોજન
દેશમાં આ ગંભીર વાયરસની સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. હવે નીતિ આયોગે શનિવારે આ મુદા પર ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું આયોજન કરેલ છે.  આ મીટિંગમાં રાજ્યોમાં આ વાયરસની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. તમામ રાજ્યોની સ્થિતિ અંગે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યને જો કેન્દ્ર તરફથી સહાયતાની આવશ્યકતા છે તો એ અનુસાર પગલાંઓ ભરવામાં આવશે.

H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ શું છે?
H3N2 ઈન્ફલ્યુએન્ઝાને હોંગકોંગ ફ્લૂ પણ કહેવામાં આવે છે.  H3N2 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે શ્વાસ સંબંધિત ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે. H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસ દેશમાં આ અગાઉઘણી વાર મહામારીનું કારણ બન્યો છે.

વાયરસના લક્ષણો
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડીને વાયરસના લક્ષણો જણાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે. 

- તાવ
- શરીરમાં થાક લાગવો અને દુખાવો થવો
- ગળામાં દુખાવો થવો
- તીવ્ર ઉધરસ
 -ગળામાં ખારાશ
- શરદી થવી
- સતત નાક વહેવું
- માથામાં ભયંકર દુખાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ