ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસને કારણે શહેરોની હાલત કથળી રહી છે, જો કે સુરતમાં અમુક ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા લોકો લોકડાઉનનો ભય બતાવીને શ્રમિક વર્ગ પાસેથી રૂપિયા ખંખેરી રહ્યા છે, પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપસર અમુક લોકોની અટકાયત પણ કરી છે.
ગુજરાતના સુરત શહેરની ઘટના
શ્રમિક વર્ગમાં લોકડાઉનની અફવા ફેલાવીને કરાઇ રહ્યા છે રવાના
આવી સ્થિતિમાં લોકો તેમના પરિવાર અને સામાન સાથે તેમના વતન ભણી જઈ રહ્યા છે. રાજ્યના સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે 26 માર્ચથી લોકડાઉનની અફવાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા અઠવાડિયાથી, મજૂરોને ઘરે પરત ફરવાની પ્રક્રિયા એવી છે કે દરરોજ 500 થી 1000 જેટલા મજૂરો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.
ગત લોકડાઉનમાં કામદાર મજૂર વર્ગને ઘણું વેઠવું પડ્યું હતું
મહત્વનું છે કે ગયા વર્ષે થયેલા લોકડાઉનને કારણે પરપ્રાંતિય મજૂરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, વાહનો બંધ હોવાના કારણે અને અમુક પ્રાઇવેટ વાહનોની દાદાગીરીના કારણે આ ગરીબ વર્ગ માર્કેટ રેટ કરતાં કેતાએ ગણું વધુ ભાડું ચૂકવવા મજબૂર બન્યો હતો અને ઘણા કેસો એવા હતા જેમાં રેલવે ટ્રેક પરથી પગપાળા પસાર થતાં ઘણા મજૂરો ટ્રેનની અડફેટે આવતા કપાઈ મર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.
આવી સ્થિતિમાં ફરી એકવાર લોકડાઉનની અફવાને લઈને લોકો ઘરે જવાનું નક્કી કરી રહ્યા છે. તેઓને ડર છે કે લોકડાઉન ગયા વર્ષ જેવું જ નહીં હોય અને તેમને ખાવાના પણ સાંસા ન પડી જાય. આ ચિંતામાં, કામદારો તેમના પરિવાર અને સામાન સાથે ઘરે પરત ફરી રહ્યા છે. જો કે હોળીને કારણે ટ્રેનોમાં જગ્યા ન હોવાથી હવે લોકો ગામમાં જવા માટે બસનો આશરો પણ લેતા હોય છે. બીજી તરફ સુરતની પાંડેસરા પોલીસે અફવા ફેલાવવાના આરોપસર ટ્રાવેલ્સ એજન્સી સાથે સંકળાયેલા કેટલાક લોકોને અટકાયતમાં લીધા છે.
સીએમ વિજય રૂપાણી અને સાસંદ સીઆર પાટિલે પણ લોકડાઉનની અફવાને ખોટી ગણાવી હતી
પોલીસે જણાવ્યું હતું કે હોળીના તહેવારને કારણે ટ્રેનોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ બધા લોકો અફવા ફેલાવીને મોટી કમાણી કરવાના ચક્કરમાં છે. આવી સ્થિતિમાં, અફવાને સાચી માનીને, તેઓ તેમના ઘરોથી વધુ બસનો આશરો લે છે. લોકડાઉનની અફવા ફેલાવા ન દેવા માટે ભાજપના સાંસદ સી.આર. પાટિલે પણ સ્પષ્ટ કરી દીધું છે કે લોકડાઉનની અફવા એકદમ ખોટી છે, માટે મહેરબાની કરીને કોઈ પણ લોકોને શહેર છોડવું નહીં.
આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. લોકડાઉન લાદવાની સરકારની કોઈ પણ ઈચ્છા નથી. હકીકતમાં, પાંડેસરાના વડોદ ગામ ઉપરાંત, લિંબાયત, ડિંડોલીથી દરરોજ 30 થી વધુ બસો જઇ રહી છે, જેમાં લોકો તેમના ગામોમાં ફરી રહ્યા છે.