બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Squeezing of testicles is not 'attempt to murder': Karnataka high court
Hiralal
Last Updated: 05:12 PM, 26 June 2023
એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે ઝગડામાં કોઈ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટનો દબાવવો હત્યાનો પ્રયાસ ન માની શકાય. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની સજા પણ ઘટાડી દીધી છે. ટ્રાયલ કોર્ટે 38 વર્ષીય વ્યક્તિને આવી ઘટના માટે "ગંભીર ઈજા પહોંચાડવા" માટે દોષી ઠેરવ્યો હતો, જે પછી તેને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે પણ આ કેસને ધ્યાનમાં લેતા સજા ઘટાડીને ત્રણ વર્ષની કરી દીધી છે.
બે જણા વચ્ચે ઝગડો થયો, એકે બીજાનો દબાવ્યો પ્રાઈવેટ પાર્ટ
કર્ણાટક હાઇકોર્ટે દલીલ કરી હતી કે, પીડિતાની હત્યા કરવાનો આરોપીનો કોઇ ઇરાદો નથી અને ઝગડામાં આ ઈજા થઈ હતી. કોર્ટે કહ્યું કે, આરોપી અને ફરિયાદી વચ્ચે ઝઘડો થયો હતો. તે ઝઘડા દરમિયાન જ આરોપીએ ફરિયાદીના અંડકોષ દબાવીને તેને ઘાયલ કર્યો હતો. કોર્ટે કહ્યું કે આરોપીનો ઈરાદો ફરિયાદીની હત્યાનો નહોતો, જોકે તે ખૂન કરવા આવ્યો હોત તો પૂરતી તૈયારી કરીને આવ્યો હોત. હાઈકોર્ટનું કહેવું છે કે આરોપીએ પીડિતાને ગંભીર ઈજા પહોંચાડી છે. તેના કારણે તેનું મોત થઈ શકતું હતું, પરંતુ આરોપીનો એવો ઈરાદો નહોતો. જસ્ટિસ કે નટરાજને કહ્યું કે અંડકોષ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે મોતનું કારણ બની શકે છે. અંડકોષમાં ઈજા થવાને કારણે પીડિતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેની સર્જરી કરવામાં આવી અને અંડકોષ કાઢવામાં આવ્યા.
શું બની હતી ઘટના
કર્ણાટકમાં 'નરસિંહસ્વામી'ના મેળામાં બે જણા વચ્ચે મારામારી થઈ હતી આ દરમિયાન આરોપી પરમેશ્વરપ્પા મોટરસાઈકલ પર ત્યાં આવ્યો હતો અને ઓમકારપ્પા નામના વ્યક્તિ સાથે ઝગડો કરવા લાગ્યો હતો ત્યાર બાદ તેણે ઓમકારપ્પાના પ્રાઈવેટ પાર્ટને દબાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ