બ્રેકિંગ ન્યુઝ
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
VTV / siddaramaiah said bjp is doing conspiracy to pull down karnataka government
vtvAdmin
Last Updated: 04:09 PM, 2 July 2019
કર્ણાટકમાં કોંગ્રેસને લાગેલા ઝટકા બાદ રાજકારણ ગરમાયું છે અને નિવેદનબાજી થઇ રહી છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ અને રમેશ જરકિહોલીના વિધાનસભાથી રાજીનામું આપ્યા પાછળ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો હાથ હોવાનું જણાવ્યું છે.
સિદ્ધારમૈયાએ કહ્યું, 'એમાં અમિત શાહ સીધી રીતે સામેલ છે, પ્રધાનમંત્રી પણ.' એ તાકાત અને પૈસાની લાલચ આપી રહ્યા છે. એ આ સરકારને પાડવા ઇચ્છે છે પરંતુ તેઓ એમાં સફળ થશે નહીં. કર્ણાટક સરકારને કોઇ ખતરો નથી. બંને ધારસભ્ય ભાજપમાં સામેલ થશે નહીં.'
જણાવી દઇએ કે ગત સોમવારે કર્ણાટકમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી રાજ્યમાં રાજકીય હલચલ ફાસ્ટ વધી ગઇ છે. પહેલા બેલ્લારી જિલ્લાના વિજયનગરથી કોંગ્રેસ સાંસદ આનંદ સિંહે વિધાનસભા સભ્યતાથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ બીજા એક કોંગ્રેસના ધારાસભ્ય રમેશ જરકિહોલીએ પણ વિધાનસભાથી રાજીનામું આપી દીધું.
Siddaramaiah on Congress MLAs Anand Singh&Ramesh Jarkiholi resign from assembly: Amit Shah is directly involved in this, PM also. They are offering power and money. They want to pull down this Govt but will not succeed. No threat to Karnataka Govt. The two MLAs will not join BJP pic.twitter.com/pNXR0iN1Ps
— ANI (@ANI) July 2, 2019
વાસ્તવમાં આનંદ સિંહને વિધાનસભામાં મંત્રી પદની આશા હતી. ગત વર્ષે કોંગ્રેસ નેતૃત્વએ એમને વિશ્વાસ અપાવ્યો હતો કે એમને મંત્રી બનાવવામાં આવશે. જો કે બે વખત કેબિનેટ ગઠન છતાં એમના હાથ ખાલી જ રહ્યા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ