બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 07:48 AM, 14 July 2023
હિંદૂ કેલેન્ડર અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ 18 જુલાઈથી શરૂ થશે. આ મહાદેવનો સૌથી પ્રિય મહિનો હોય છે. આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ હોય છે. ભક્ત મહાદેવની આરાધનામાં લીન હોય છે. કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
શ્રાવણના સોમવારનું મહત્વ વધારે વધી જાય છે. આ દિવસે લોકો વ્રત પણ કરે છે. ભગવાન શિવની પૂજામાં તેમને જળ, દૂળ, બિલિપત્ર, પુષ્પ વગેરે અર્પિત કરવામાં આવે છે. આ રીતે તેમની પસંદગીની વસ્તુઓમાં એક શમી પત્ર પણ મહાદેવને ચડાવવામાં આવે છે.
શું છે શમી પત્રનું મહત્વ?
હિંદૂ ધર્મ માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર વિધિવિધાનથી ચડાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શિવલુંગ પર જળાભિષેકના બાદ દૂધ ચડાવવું ખૂબ જ શુભ છે. તેના બાદ શિવજીને ધતૂરો, બિલિ પત્ર, મદારના ફૂલ અને શમી પત્ર પણ ચડાવવા જોઈએ. તેનાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે.
કેમ શું માનવામાં આવે છે શમી પત્ર?
હિંદૂ ધર્મમાં શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રાવણનું વધ કર્યા બાદ જ્યારે ભગવાન શ્રીરામ પરત ફર્યા હતા ત્યારે તેમણે શમીના વૃક્ષની પૂજા કરી હતી. બીજી એક કથા અનુસાર મહાભારતમાં પાંડવોને અજ્ઞાતવાસ આપવા પર તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર સમીના ઝાડમાં જ છુપાવ્યા હતા. આ કારણથી શમીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શમી પત્ર ચડાવવાના નિયમ
આમ તો દરેક મહિનામાં તમને શિવજીને શમી પત્ર ચડાવવા જોઈએ. પરંતુ શ્રાવણના મહિનામાં તેનું મહત્વ વધી જાય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર અર્પિત કરવાથી ઈચ્છા અનુસાર વરદાન મળે છે. આ મહિનામાં સોમવારે સવારે શિવાલયમાં જઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસો. તેના બાદ એક તાંબાના લોટામાં જળ, ગંગાજળ, ચોખા, સફેદ ચંદન વગેરે મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરો.
આમ કરતી વખતે ओम नम: शिवाय મંત્રનો જાપ કરો. હવે તેના બાદ તમે ભગવાન ભોલેનાથને બિલિપત્ર, ચોખા, શમી પત્ર, સફેદ વસ્ત્ર અર્પિત કરી દો. શમી પત્ર ચડાવતી વખતે પણ ओम नम: शिवाय મંત્રનો જાપ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ