બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / shravan mass 2023 know importance rules of shiv puja

ધર્મ / શ્રાવણ માસમાં કેમ શિવજીને અર્પણ કરાય છે આ પાન, મહાદેવ થઇ જાય છે પ્રસન્ન, જાણો રહસ્ય

Arohi

Last Updated: 07:48 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan Mass 2023: શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન મહાદેવને સૌથી પ્રિય માનવામાં આવે છે. આ મહિનામાં શિવાલયોના બહાર ભારે ભીડ થઈ જાય છે. ભગવાન મહાદેવને તેમની પ્રિય વસ્તુ જેવી કે ધતૂરો, બિલિપત્ર, મદારના ફૂલ વગેરે અર્પિત કરવામાં આવે છે.

  • શ્રાવણમાં શિવજીને અર્પિત કરો આ વસ્તુ 
  • જાણો શું છે પૂજાના નિયમ 
  • મહાદેવ થશે ખૂબ પ્રસન્ન 

હિંદૂ કેલેન્ડર અનુસાર શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ચુક્યો છે. ગુજરાતી કેલેન્ડર અનુસાર શ્રાવણ 18 જુલાઈથી શરૂ થશે. આ મહાદેવનો સૌથી પ્રિય મહિનો હોય છે. આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ હોય છે. ભક્ત મહાદેવની આરાધનામાં લીન હોય છે. કાંવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. 

શ્રાવણના સોમવારનું મહત્વ વધારે વધી જાય છે. આ દિવસે લોકો વ્રત પણ કરે છે. ભગવાન શિવની પૂજામાં તેમને જળ, દૂળ, બિલિપત્ર, પુષ્પ વગેરે અર્પિત કરવામાં આવે છે. આ રીતે તેમની પસંદગીની વસ્તુઓમાં એક શમી પત્ર પણ મહાદેવને ચડાવવામાં આવે છે. 

શું છે શમી પત્રનું મહત્વ?
હિંદૂ ધર્મ માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર વિધિવિધાનથી ચડાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં શિવલુંગ પર જળાભિષેકના બાદ દૂધ ચડાવવું ખૂબ જ શુભ છે. તેના બાદ શિવજીને ધતૂરો, બિલિ પત્ર, મદારના ફૂલ અને શમી પત્ર પણ ચડાવવા જોઈએ. તેનાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. 

કેમ શું માનવામાં આવે છે શમી પત્ર? 
હિંદૂ ધર્મમાં શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રાવણનું વધ કર્યા બાદ જ્યારે ભગવાન શ્રીરામ પરત ફર્યા હતા ત્યારે તેમણે શમીના વૃક્ષની પૂજા કરી હતી. બીજી એક કથા અનુસાર મહાભારતમાં પાંડવોને અજ્ઞાતવાસ આપવા પર તેમણે પોતાના અસ્ત્ર-શસ્ત્ર સમીના ઝાડમાં જ છુપાવ્યા હતા. આ કારણથી શમીના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

શમી પત્ર ચડાવવાના નિયમ 
આમ તો દરેક મહિનામાં તમને શિવજીને શમી પત્ર ચડાવવા જોઈએ. પરંતુ શ્રાવણના મહિનામાં તેનું મહત્વ વધી જાય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને શમી પત્ર અર્પિત કરવાથી ઈચ્છા અનુસાર વરદાન મળે છે. આ મહિનામાં સોમવારે સવારે શિવાલયમાં જઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસો. તેના બાદ એક તાંબાના લોટામાં જળ, ગંગાજળ, ચોખા, સફેદ ચંદન વગેરે મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરો. 

આમ કરતી વખતે  ओम नम: शिवाय મંત્રનો જાપ કરો. હવે તેના બાદ તમે ભગવાન ભોલેનાથને બિલિપત્ર, ચોખા, શમી પત્ર, સફેદ વસ્ત્ર અર્પિત કરી દો. શમી પત્ર ચડાવતી વખતે પણ ओम नम: शिवाय મંત્રનો જાપ કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ