બ્રેકિંગ ન્યુઝ
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
VTV / Should you bathe every day or not? Know the disadvantages of bathing as experts say
Megha
Last Updated: 04:59 PM, 7 January 2023
શિયાળાની ઋતુ આવતાં જ ઘણા લોકો દરરોજ નાહવાનું બંધ કરી દે છે અને તેની સામે ઘણા લોકો એવા હોય છે જેઓ સખત ઠંડીમાં પણ દરરોજ સ્નાન કરે છે. સામાન્ય રીતે આપણા ભારત દેશમાં લોકોની ગણતરી વિશ્વમાં સૌથી વધુ સ્નાન કરનારાઓમાં થાય છે. જો કે ભારતના લોકો ધાર્મિક માન્યતાઓને કારણે દરરોજ સ્નાન કરે છે અને ઘણીવાર લોકો ન નાહવાના ગેરફાયદા પણ ગણાવતા હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાને રોજ નાહવાના ગેરફાયદાઓ જણાવ્યા છે. ચાલો જાણીએ કે વિજ્ઞાન અનુસાર દરરોજ સ્નાન કરવાથી શું નુકસાન થાય છે...
દરરોજ નાહવું જરૂરી નથી
વિજ્ઞાન કહે છે કે દરરોજ સ્નાન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આ સાથે જ દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટ માને છે કે ઠંડીમાં રોજ ન નહાવું એ એક સારો નિર્ણય છે, કારણ કે વધુ પડતું નહાવું આપણી ત્વચા માટે સારું નથી. ઘણી સ્ટડીમાં એવા પણ ખુલાસા થયા છે કે આપણી ત્વચામાં પોતાને સાફ કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જો તમે જીમમાં નથી જતા અથવા તો રોજ પરસેવો નથી વહાવતા કે ધૂળ અને માટીમાં રહેતા નથી, તો એવા લોકોએ દરરોજ સ્નાન કરવું જરૂરી નથી.
શું કહે છે એક્સપર્ટ? જાણો
જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સી. બ્રાન્ડોન મિશેલના કહેવા મુજબ નાહવાથી ત્વચાના કુદરતી તેલ અને સારા બેક્ટેરિયા નીકળી જાય છે અને આ સારા બેક્ટેરિયા આપણી ઇમ્યુન સિસ્ટમને પણ સપોર્ટ કરે છે અને એટલા માટે શિયાળામાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ નાહવું જોઈએ.
આ સિવાય અમેરિકન યુનિવર્સિટી ધ યુનિવર્સિટી ઓફ ઉતહના જિનેટિક્સ સાયન્સ સેન્ટરના અભ્યાસ અનુસાર વધુ પડતું નાહવાથી આપણી રોગપ્રતિકારક શક્તિને નુકસાન થાય છે. જંતુઓ અને વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે. આ સાથે જ ખોરાકને પચાવવાની અને તેમાંથી વિટામિન્સ અને અન્ય પોષક તત્વોને અલગ કરવાની શરીરની ક્ષમતાને પણ અસર કરે છે.
નખને પણ થાય છે નુકસાન
જો તમે દરરોજ ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે તમારા નખને પણ નુકસાન પહોંચાડે છે. નાહતી વખતે નખ પાણીને શોષી લે છે અને પછી નરમ થઈને તૂટી જાય છે. આમાંથી પણ કુદરતી તેલ નીકળે છે અને તે શુષ્ક અને નબળા પડી જાય છે. કોલંબિયા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એલિન લાર્સને એક સંશોધન કર્યું અને જણાવ્યું હતું કે દરરોજ સ્નાન કરવાથી આપણી ત્વચા શુષ્ક અને નબળી બને છે. આ ચેપનું જોખમ ઘણું વધારે છે એટલા માટે દરરોજ સ્નાન ન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર