બ્રેકિંગ ન્યુઝ
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
Priyakant
Last Updated: 11:12 AM, 11 February 2024
Jagdeep Dhankhad : સંસદમાં ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શનિવારે કહ્યું હતું કે, જયંત ચૌધરીને મંચ આપવા બદલ જયરામ રમેશ અને કોંગ્રેસના અન્ય સાંસદો દ્વારા તેમની સામે 'અપમાનજનક' વર્તનથી તેઓ એટલા દુઃખી થયા છે કે, તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં જયંત ચૌધરી તેમના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાના સરકારના નિર્ણય પર ઉપલા ગૃહને સંબોધિત કરી રહ્યા હતા. જ્યારે તેઓ બોલવા માટે ઉભા થયા ત્યારે મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કોંગ્રેસી સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષે તેમને સમય આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
યુવાન પુત્રના મૃત્યુ કરતાં વધુ દુઃખ થયું: જગદીપ ધનખર
જગદીપ ધનખરે કહ્યું કે, આ ઘટનાથી તેમને તેમના યુવાન પુત્રના મૃત્યુ કરતાં વધુ દુઃખ થયું છે. જયરામ રમેશ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેમના વર્તનને કારણે તેઓ ઉપલા ગૃહના સભ્ય બનવાને લાયક નથી. કોંગ્રેસના સાંસદોની દલીલ એવી હતી કે, અધ્યક્ષે ન તો ગૃહને જાણ કરી હતી કે તેઓ જયંત સિંહને ફ્લોર ક્યારે આપશે અને ન તો આખા દિવસ દરમિયાન ગૃહમાં કરવાના કામોની યાદીમાં ભૂતપૂર્વ વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણય પર નિવેદન આપવા માટે કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અધ્યક્ષે જયરામ રમેશને ગૃહમાં રહેવા માટે અયોગ્ય જાહેર કર્યા
આ દરમિયાન જયરામ રમેશે કેટલીક ટિપ્પણીઓ કરી અને જયંત ચૌધરીને પૂછ્યું કે તે ક્યાં જવા માગે છે? રમેશે સંકેત આપ્યો હતો કે જયંતની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ વિપક્ષો સાથે સંબંધો તોડવાની અને લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરવાની નજીક છે. આ વાતથી અધ્યક્ષ ધનકર નારાજ થઈ ગયા. તેમણે જયરામ રમેશને ગૃહમાં રહેવા માટે અયોગ્ય ગણાવ્યા. બાદમાં અર્થતંત્ર પર સરકારના શ્વેતપત્ર પર ચર્ચા કર્યા પછી રાજ્યસભાના અધ્યક્ષે ફરીથી કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો અને તેમના વર્તનની નિંદા કરી. શરૂઆતના હંગામા પછી તેમણે કહ્યું, 'મેં સાંભળ્યું કે જયરામ રમેશે જયંતને શું કહ્યું... તમે (રમેશ) એવા વ્યક્તિ છો કે જે સ્મશાન ગૃહમાં પાર્ટી કરી શકે છે. એ સાચું છે કે તમે (રમેશ) આ ગેરવર્તણૂક માટે આ ગૃહનો ભાગ બનવાને લાયક નથી.
કોંગ્રેસના સાંસદોએ વિરોધ કર્યો ત્યારે જગદીપ ધનખરે વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બોલવા દીધા. ખડગેએ કહ્યું કે. નેતાઓને ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણય પર કોઈ ચર્ચા નથી થઈ. તેમણે કહ્યું, હું તમામ (ભારત રત્નથી સન્માનિત નેતાઓ)ને સલામ કરું છું. પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે (ચેરમેન જગદીપ ધનખર) કયા નિયમ હેઠળ પૂછો. (મારે જાણવું છે કે) તેમને (જયંતસિંહ) કયા નિયમ હેઠળ બોલવા દેવામાં આવ્યા છે? કૃપા કરીને અમને પણ મંજૂરી આપો. એક તરફ તમે નિયમોની વાત કરો છો... તમારી પાસે વિવેક છે... એ વિવેકબુદ્ધિનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, જ્યારે તમે ઈચ્છો ત્યારે નહીં.
આસનનું 'અપમાન' કરવા બદલ ખડગે પાસેથી માફીની માંગ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અધ્યક્ષ 'નિયમોનું પાલન કરતા નથી'. તેમણે કહ્યું કે જો ભારત રત્ન પર ચર્ચા ગૃહના કાર્યસૂચિમાં સામેલ કરવામાં આવી હોત તો દરેકે (વિપક્ષી નેતાઓ) તેમાં ભાગ લીધો હોત. આના પર જગદીપ ધનખરે ખડગેના વાંધાઓ પર નારાજગી વ્યક્ત કરી અને કોંગ્રેસના નેતાઓ પર ચરણ સિંહ અને તેમના વારસાનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કોંગ્રેસ ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાનો 'વિરોધ' કરી રહી છે. રૂપાલાએ કહ્યું, વિપક્ષી નેતાઓ આસનને પડકારી રહ્યા છે અને તે પણ આવા પ્રસંગે...આ છે કોંગ્રેસનો અસલી ચહેરો...કોંગ્રેસનો પર્દાફાશ થયો છે.' ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આસનનું 'અપમાન' કરવા બદલ ખડગે પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.
#WATCH | Union Minister and BJP MP Parshottam Rupala says, "Whenever LoP stands to speak, you (Rajya Sabha Chairman) ask us to listen to him but LoP is now challenging your Chairmanship and telling you that you are taking decisions as per your choice...This is the real face of… pic.twitter.com/0VIqeMCmC5
— ANI (@ANI) February 10, 2024
આજનો દિવસ મારા માટે દુઃખદ હતો: જગદીપ ધનખર
આ પછી જગદીપ ધનખરે જયંત સિંહ તરફથી મળેલી નોટિસને થોડી મિનિટો માટે બોલવા માટે વાંચી અને આરએલડી નેતાને તેમનું ભાષણ પૂરું કરવાની મંજૂરી આપી. વિપક્ષી સાંસદોએ કહ્યું કે જો આસને નોટિસ અને જયંતને બોલવા દેવાનું કારણ શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું હોત તો આ અપ્રિય સ્થિતિ ઊભી થઈ ન હોત. બાદમાં અર્થવ્યવસ્થા પર સરકારના શ્વેતપત્ર પર ચર્ચા કર્યા બાદ ધનખરે ફરીથી પોતાનું દર્દ વ્યક્ત કર્યું. તેમણે સભ્યોને સંબોધતા કહ્યું, આજનો દિવસ મારા માટે દુઃખદ હતો. મારે તમારા બધા પાસેથી રક્ષણ જોઈએ છે. ક્યારેક સન્માનજનક માર્ગ પર ચાલવું મુશ્કેલ બની જાય છે. ઉદાસી સાથે હું તમારા ધ્યાન પર નોંધપાત્ર ચિંતાનો વિષય લાવું છું...હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વિષય શેર કરવા અને ચર્ચા કરવા માંગુ છું.
નેતાઓને માન આપવાની વાત આવે ત્યારે આપણે સંવેદનશીલ બનવું જોઈએ
આ સાથે તેમણે આગળ કહ્યું, મને (કોંગ્રેસના નેતાઓના) આ વર્તનની અપેક્ષા નહોતી, તે શરમજનક અને દુઃખદ હતું. આ અમારી ગરિમાની વિરુદ્ધ હતું. મારા મગજમાં ઘણા વિચારો આવ્યા, મેં પદ છોડવાનું પણ વિચાર્યું. ખેડૂત પુત્ર હોવાના કારણે મેં ઘણા મુશ્કેલ સમય જોયા છે. મેં મારો યુવાન પુત્ર ગુમાવ્યો. પણ આજનું દર્દ એના કરતાં ઘણું વધારે હતું. જયંત ચૌધરી બોલતા હતા ત્યારે જયરામ રમેશ શું કહી રહ્યા હતા? તે શું કહે છે તે મેં સાંભળ્યું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ... સ્મશાનગૃહમાં કોઈ ઉજવણી કરવામાં આવતી નથી. આને અવગણી શકાય નહીં. નેતાઓનું સન્માન કરવાની વાત આવે ત્યારે આપણે સંવેદનશીલ બનવું જોઈએ. આ વાત ગૃહમાં નહીં રહે, બહાર કરોડો લોકો સુધી પહોંચશે. એવું ન થવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ