બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Shops can be opened in 42 zones except 6 wards of Ahmedabad: Vijay Nehra
ADVERTISEMENT
અમદાવાદમાં ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા અને બહેરામપુરા સિવાયના તમામ 42 વોર્ડ કાલથી ખુલશે.કોરોના સંક્રમણના ડબલિંગ રેટ વિશે વિજય નહેરાએ જણાવ્યું કે રેટ વધે કે ઘટે તે કહેવું અઘરું છે પરંતુ છેલ્લા 7 દિવસમાં ઘટ્યો છે. આ ઉપરાંત જો કાલથી દુકાન ખોલવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્શિંગ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ જેવા નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. AMCના વિવિધ વિભાગની ટીમ કોઈ પણ સમયે ચેકીંગ કરશે અને જો અયોગ્ય જણાશે તો કાર્યવાહી થશે.
ADVERTISEMENT
રમઝાન માસની શરૂઆત મુદ્દે વિજય નહેરાએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ઘરમાં રહીને જ લોકો નમાઝ પઢે અને ઈબાદત કરે. કેન્દ્રીય ટીમ સાથે થયેલી બેઠક અંગે ચર્ચા કરતાં કહ્યું કે અમદાવાદ શહેરની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત શહેરમાં કરાયેલી ટેસ્ટીંગ સિસ્ટમનો અહેવાલ કેન્દ્રને સોપવા આદેશ કર્યો છે. કે જેથી અન્ય રાજ્યોમાં તેની રેપ્લિકા ઉભી કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.