બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
VTV / shivsena MP in support of Congress leader Nana Patole statement on Amitabha and Ashay kumar
Hiralal
Last Updated: 02:46 PM, 19 February 2021
અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારને ફિલ્મનું શુટિંગ ન કરવા દેનાર કોંગ્રેસ નેતા નાના પટોલેને શિવસેનાનો સાથ મળ્યો છે.
ભૂતકાળમાં જ્યારે થોડા ભાવ વધતા હતા ત્યારે આ લોકો રસ્તા પર આવી જતા હતા
શિવસેના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું કે નાના પટોલેનું નિવેદન બિલકુલ સાચુ છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં જ્યારે થોડા ભાવ વધતા હતા ત્યારે આ લોકો રસ્તા પર આવી જતા હતા. હકીકતમાં નાના પટોલેએ ધમકી આપતા જણાવ્યું કે જો અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવની સામે બોલવાની હિંમત નહીં કરે તો મહારાષ્ટ્રમાં તેમની ફિલ્મોનું શુટિંગ થવા નહીં દેવામાં આવે.
પટોલેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે યુપીએની આગેવાની વાળી કોંગ્રેસની સરકારના શાસન દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર ટ્વિટ કર્યાં હતા, હવે તેઓ આ મુદ્દે ખામોશ છે.પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી સામાન્ય લોકોને ઘણી અસર થઈ છે. અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે તેમના ટ્વિટ દ્વારા ભાવવધારાની ટીકા કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખે સવાલ કર્યો કે હવે તેઓ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર કેમ મૌન સાધીને બેઠા છે.
મનમોહનસિંહએ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના વધારા ભાવ છતાં પણ ઈંધણના ભાવને કાબૂમાં રાખ્યાં હતા.
નાના પટોલેએ કહ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહએ વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના વધારા ભાવ છતાં પણ ઈંધણના ભાવને કાબૂમાં રાખ્યાં હતા. હવે બોલીવુડ સ્ટાર કેમ ટ્વિટ કરીને ટિકા કરતા નથી.
બચ્ચન અને અક્ષયકુમારની જવાબદારી બને છે શું તેઓ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ છે જે લોકો પેટ્રોલ-ડીઝલના ભાવની વિરુદ્ધ અવાજ નહીં ઉઠાવે તો તેમની મહારાષ્ટ્રમાં તેમની ફિલ્મનું શુટિંગ નહીં થવા દેવામાં આવે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ