બ્રેકિંગ ન્યુઝ
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
VTV / ધર્મ / Shani vish yog for more than two months 15 april in kumbh rashi these Zodiac sign will be affected
Manisha Jogi
Last Updated: 02:14 PM, 15 April 2023
15 એપ્રિલથી શનિ અને ચંદ્રનો એક ખાસ યોગ બની રહ્યો છે, જેને વિષ યોગ કહે છે. કુંભ રાશિમાં આજથી ચંદ્ર અને શનિની યુતિના કારણે વિષ યોગ બની રહ્યો છે. અંદાજે અઢી મહિના સુધી ત્રણ રાશિના જાતકોએ અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. ચંદ્ર અને શનિની ચાલ એક સમાન હોય છે, અંતર માત્ર એક મહિના અને દિવસનું છે. ચંદ્ર કોઈ રાશિમાં અઢી દિવસ સુધી રહે છે અને શનિ અઢી વર્ષ સુધી રહે છે. શનિની સાઢેસાતીના કારણે લોકોના જીવન પર પણ અસર થાય છે. શનિ હાલમાં પોતાની કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યો છે. 30 વર્ષ પછી શનિની આ પ્રકારની પરિસ્થિતિ બની રહી છે. ચંદ્ર પણ આજથી શનિની રાશિમાં બિરાજમાન થઈ રહ્યો છે. આ કારણોસર વિષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. વિષ યોગના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવે છે. કુંડળીમાં આ યોગ બને તો સુખ અને શાંતિ સમાપ્ત થઈ જાય છે.
કર્ક, કન્યા અને વૃશ્વિક રાશિના જાતકો પર અઢી મહિના સુધી આ યોગની અસર થશે. આ રાશિના જાતકોને શનિ અને ચંદ્રમાના વિભિન્ન ઉપાયથી લાભ થશે. આ યોગની અસર ઓછી કરવા માટે દર શનિવાર શનિ મંદિર જઈને તેલનો દીવો કરવો જોઈએ. શનિવારના દિવસે ખાંડનું સેવન ના કરવું. આ ઉપાય કરવાથી શનિની સાઢેસાતી પણ ઓછી થશે. જે લોકો પર શનિ ઢૈય્યા છે, તે લોકોએ પણ શનિવારના દિવસે આ ઉપાય કરવો. આ પ્રકારે કરવાથી વિષ યોગની અસર ઓછી થવાની સાથે સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો