બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / રાજકોટ / Several people were seriously injured when a slab of pavement collapsed near Ganapati Pandal in Sarveswar Chowk, Rajkot.
Dinesh
Last Updated: 10:17 PM, 24 September 2023
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દૂર્ઘટના ઘટી હતી
10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. પાપ્ત વિગતો મુજબ પંડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
રાજકોટ સર્વેશ્વર ચોક દુર્ઘટના: વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં, એક મહિલાનું મોત, 10 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા #rajkotnews #rajkot #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/RQZuXmg67e
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2023
એક મહિલાનું મોત
સમગ્ર દૂર્ઘટનામાં એક મહિલાનુ મોત થયું હોવાની વિગતો છે. મૃતકનું નામ ભાવનાબેન ઠક્કર, ઉંમર 60 વર્ષ છે તેમજ અન્ય તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જયમીન ઠાકરનું નિવેદન
જયમીન ઠાકરએ જણાવ્યું કે, સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત છે એટલુ બધુ પણ કંઈ સિરિયસ નથી. તેમજ કોઈ મૃત્યુની માહિતી પણ નથી. પરિસ્થિતિ કાબૂમાં છે, જે ઘટનાને પગલે તપાસ કરવામાં આવશે
સ્થાનિક નેતાઓ ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિના તાંગ મેળવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ અને પોલીસની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે
રાજકોટ : સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી, 10 લોકોને ઈજા, રેસ્ક્યૂ શરૂ#rajkot #rajkotnews #gujarat #GujaratiNews #vtvgujarati pic.twitter.com/uzi4xgZyLM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 24, 2023
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ