બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Several incidents of fire across Gujarat on Diwali night, loss in lakhs due to firecracker sparks
Priyakant
Last Updated: 09:49 AM, 13 November 2023
DIWALI 2023 : રાજ્યમાં દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે ક્યાંક નાની મોટી આગની ઘટના બનતી હોય છે. આ વર્ષે પણ અલગ અલગ જિલ્લામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર રાધિકા જ્વેલર્સના મેઈન ગેટ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગ શો રૂમમાં પહોંચે તે પહેલા આગ પર કાબૂ મેળવાયો હતો. બીજી તરફ રાજકોટના જૂના એરપોર્ટમાં આગનો બનાવ બન્યો હતો. આ તરફ નવસારીમાં GIDCમાં સિરામિકના ગોડાઉનમાં ફટાકડાનો તણખો ઉડતા આગ લાગી હતી જેમાં 5 થી 7 લાખના નુકસાનની સંભાવના સેવાઈ રહી છે.
ગુજરાતમાં દિવાળીના દિવસે આગ લાગ્યાની ઘટનાઓ સામે આવી છે. સુરતના કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આગ ફટાકડા ફોડતી વખતે શેરડીના ખેતરમાં તણખલું પડતા ભીષણ આગ લાગી હતી. આ તરફ અમદાવાદના વાસણામાં પણ આગ લાગી હતી. સ્વામિનારાયણ પાર્ક 3ના પાછળના ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી. સૂકા લાકડાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ હર્યું હતું. વિગતો મુજબ ફટાકડાના કારણે ગત મોડી રાત્રે લાગેલી આગ પર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.
જૂનાગઢના કેશોદમાં પોલીસવાનમાં લાગી આગ
દિવાળીના દિવસે જુનાગઢના કેશોદમાં પોલીસે ગેરકાયદે વેચાણના કબજે કરેલા ફટાકડામાં આગ લાગી હતી. વિગતો મુજબ બહાર ફૂટી રહેલા ફટાકડાનો તણખલો થતા આગ લાગી હતી. આ તરફ ફટાકડાના કારણે પોલીસ લાઈનમાં ઉભી રહેલી કાર સળગી ઉઠી હતી અને જોતજોતાંમાં આગના કારણે પોલીસ વાન બળીને ખાખ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ