બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Second Wife Can't File Cruelty Case Against Husband: Karnataka High Court
Hiralal
Last Updated: 07:57 PM, 22 July 2023
કર્ણાટક હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 46એ (પરિણીત મહિલા ક્રૂરતાને આધિન) હેઠળ 46 વર્ષીય પુરુષની સજાને રદબાતલ કરી દીધી છે, કારણ કે ફરિયાદી તેની 'બીજી પત્ની' હતી, જેના કારણે આ લગ્ન "રદબાતલ" થઈ ગયા હતા. જસ્ટીસ એસ રચૈયાની સિંગલ જજની ખંડપીઠે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, "એક વખત ફરિયાદી મહિલાને અરજદારની બીજી પત્ની તરીકે ગણવામાં આવે, પછી આઇપીસીની કલમ 498-એ હેઠળના ગુના માટે અરજદાર સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં ન લઈ શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, બીજી પત્ની દ્વારા પતિ અને તેના સાસુ-સસરા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ ટકી શકતી નથી.
શું બની ઘટના
કોર્ટ રાજ્યના તુમકુરુ જિલ્લાના રહેવાસી કંથારાજુ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશન પર સુનાવણી કરી રહી હતી. ફરિયાદી મહિલાએ દાવો કર્યો હતો કે તે કંથારાજુની બીજી પત્ની છે અને તેઓ પાંચ વર્ષ સાથે રહેતા હતા અને પાંચ વર્ષના લગ્નજીવનમાં તેમને એક પુત્ર પણ થયો હતો. પરંતુ
પાછળથી તે લકવાગ્રસ્ત થઈ ગઈ અને અશક્ત થઈ ગઈ. કંથારાજુએ આ પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું અને તેને ક્રૂરતા અને માનસિક ત્રાસ આપ્યો હતો. આથી કંટાળીને પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને તુમાકુરુની ટ્રાયલ કોર્ટે તેને જાન્યુઆરી 2019 માં દોષી ઠેરવ્યો હતો. ઓક્ટોબર 2019માં સેશન્સ કોર્ટે આ સજાની પુષ્ટિ કરી હતી. કંથારાજુએ તે જ વર્ષે રિવિઝન પિટિશન સાથે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
બીજી પત્ની કલમ 498એ હેઠળ ફરિયાદ નોંધાવવા હકદાર નહીં
હાઈકોર્ટે નીચલી અદાલતના આદેશને રદબાતલ ઠેરવ્યો હતો કારણ કે તેમાં જાણવા મળ્યું હતું કે બીજી પત્ની કલમ 498એ હેઠળ ફરિયાદ નોંધાવવા માટે હકદાર નથી. ફરિયાદી પક્ષે સ્થાપિત કરવું પડશે કે ફરિયાદી મહિલા અરજદારની કાનૂની રીતે વિવાહિત પત્ની છે. જ્યાં સુધી તે સ્થાપિત ન થાય કે તે અરજદારની કાનૂની રીતે વિવાહિત પત્ની છે, ત્યાં સુધી નીચેની અદાલતોએ ફરિયાદી મહિલા અને તેની માતાના પુરાવા પર કાર્યવાહી કરવી જોઈતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ