બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / SC refuses to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI, suggests him to move High Court.
Hiralal
Last Updated: 05:26 PM, 28 February 2023
દિલ્હીની નવી આબકારી નીતિ ગેરરીતિ કેસમાં સીબીઆઈ દ્વારા આરોપી બનાવાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ તેમના રિમાન્ડને સુપ્રીમમાં પડકાર્યાં હતા જેની પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી યોજી હતી. ખંડપીઠે સિસોદીયાને કહ્યું કે તમારે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ. સિસોદીયા પાસે ઘણા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે.
SC refuses to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI, suggests him to move High Court. pic.twitter.com/P5jh8UmsNJ
— ANI (@ANI) February 28, 2023
સીધા સુપ્રીમ ન આવી જવાય, હાઈકોર્ટમાં જાઓ
ચીફ જસ્ટીસે મનીષ સિસોદીયાના વકીલને કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટમાંથી સીધા જામીન અને અન્ય રાહત માંગી રહ્યા છો. તમે અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆ કેસ ટાંક્યા છે. પણ તે તદ્દન જુદો જ હતો. તમારે નીચલી કોર્ટમાંથી જામીન મેળવવા જોઈએ, એફઆઈઆર રદ કરાવવા માટે હાઈકોર્ટમાં જવું જોઈએ. સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવીએ કહ્યું, "મને માત્ર ત્રણ મિનિટ માટે બોલવા દો. મને (સિસોદિયાને) માત્ર બે વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા અર્નેશ કુમાર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવ્યું ન હતું. મારા પર પુરાવા સાથે છેડછાડનો આરોપ નથી, ન તો મને ભાગી જવાનો ડર લાગતો હતો.
AAP to go to Delhi HC pertaining to Delhi Dy CM Manish Sisodia's arrest by CBI: AAP
— ANI (@ANI) February 28, 2023
Earlier, SC refused to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI & suggested him to move High Court. https://t.co/IyRQtI7bnM
સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે
સીજેઆઈએ કહ્યું કે આ વાતો સાચી હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે. કોર્ટે કહ્યું કે મનીષ સિસોદીયાએ જામીન માટેની એફઆઈઆર રદ કરવાની માંગ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ.
સિસોદીયા પાસે હવે શું રસ્તો
સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યો હોવાથી મનીષ સિસોદીયા હવે જામીન માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધશે. હવે એકમાત્ર દિલ્હી હાઈકોર્ટ જ તેમને રાહત આપી શકે છે. આમ આદમી પાર્ટી પણ કહી ચૂકી છે કે સિસોદીયાના જામીન માટે હવે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક સાધવામાં આવશે.
શું છે દારુ કૌભાંડ
દિલ્હી સરકારે જુની એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022ના રોજ રદ કરી નાખી હતી અને તેને બદલે એક નવી નીતિ બહાર પાડી હતી જેમાં દારુ કારોબારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો જેના બદલામાં આમ આદમી પાર્ટીને કરોડોનું ફંડ મળ્યું હોવાનો આરોપ છે. આરોપ છે કે દારુ કારોબારીઓ પાસેથી મળેલા કરોડોના ફંડનો ઉપયોગ પંજાબ ચૂંટણીમા કરવામાં આવ્યો હતો. કેજરીવાલ સરકારે દારુ કારોબારીઓ અને કંપનીઓને મોટી છૂટ આપીને સરકારી ખજાનાને નુકશાન પહોંચાડ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર