ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાઈફટાઈમ કોઈ ટેન્શન નહીં, મળશે ₹5000 પેન્શન, ગજબ છે આ સરકારી યોજના
6 ફોટો ગેલેરી
Last Updated: 09:06 AM, 20 September 2026
1/6
દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવે છે અને તેને સુરક્ષા તેમજ સારું વળતર આપતા વિકલ્પોમાં રોકાણ કરવાનું આયોજન કરે છે. કેટલાક લોકો નિવૃત્તિ પછી નિયમિત આવક અને આર્થિક નિશ્ચિંતતા સુનિશ્ચિત કરવાના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે રોકાણ કરે છે. આ હિસાબે મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના અત્યંત લોકપ્રિય બની છે. આ યોજનામાં દર મહિને માત્ર 210 રુપિયાનું યોગદાન આપીને, વ્યક્તિ 5,000 રુપિયાનું આજીવન માસિક પેન્શન મેળવી શકે છે.
2/6
વૃદ્ધાવસ્થા આવવાની જ છે. તેથી, એવી વ્યવસ્થા કરવી જરુરી છે કે જેથી તે સમય દરમિયાન વ્યક્તિએ આર્થિક બાબતો માટે અન્ય પર નિર્ભર રહેવું ન પડે. નિષ્ણાતો સલાહ આપે છે કે કમાણી શરૂ થતાંની સાથે જ નિવૃત્તિનું આયોજન શરૂ કરી દેવું જોઈએ. તમે જેટલી વહેલી શરૂઆત કરશો, તેટલો વધુ લાભ મળશે. 'અટલ પેન્શન યોજના' દ્વારા, નાની બચતથી પણ નિવૃત્તિ પછી નિયમિત આવક સુનિશ્ચિત કરી શકાય છે.
ADVERTISEMENT
3/6
વૃદ્ધાવસ્થા દરમિયાન પેન્શન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને 'અટલ પેન્શન યોજના' (APY) હેઠળ, તમે 1,000 રુપિયા થી 5,000 રુપિયા સુધીનું આજીવન પેન્શન મેળવી શકો છો. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી હોય, તો તમે આ સરકારી યોજનામાં દર મહિને નિશ્ચિત રકમ જમા કરાવીને નિવૃત્તિ માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. માસિક પેન્શનની ખાતરી મળવાથી તમે તમારા રોજિંદા ખર્ચને સરળતાથી પૂરા કરી શકો છો.
4/6
અટલ પેન્શન યોજનામાં જોડાવા માટેની વય મર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે, 60 વર્ષની વય પૂર્ણ થતાં વ્યક્તિને નિશ્ચિત માસિક પેન્શન મળવાનું શરૂ થાય છે. જોકે, જો કોઈ રોકાણકાર 60 વર્ષની વય પહેલાં પોતાની રકમ પાછી ખેંચવા માંગતા હોય, તો અમુક ચોક્કસ સંજોગોમાં તે શક્ય છે.
ADVERTISEMENT
5/6
ધારો કે કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે. તો તેમણે 'અટલ પેન્શન યોજના'માં દર મહિને 210 રુપિયાનું રોકાણ કરવું પડશે. જે રકમ રોજની માત્ર 7 રુપિયાની બચત બરાબર છે. આ રકમનું નિયમિત રોકાણ કરવાથી, 60 વર્ષની ઉંમર પૂર્ણ થતાં તેમને દર મહિને 5,000 રુપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે.
6/6
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવા માટે, તમારી પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું હોવું જરૂરી છે. આ માટે આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબરની આવશ્યકતા છે. આ યોજનામાં માસિક, ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક ધોરણે યોગદાન આપવાના વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં 'ઓટો-ડેબિટ'ની સુવિધા પણ મળે છે, જેનો અર્થ છે કે તમારા ખાતામાંથી રકમ આપમેળે કપાઈ જશે. 9 કરોડથી વધુ લોકો અત્યાર સુધીમાં આ સરકારી યોજના સાથે જોડાઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ