બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 08:49 PM, 30 November 2023
ravichandran ashwin statement: વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ રડ્યા હતા. આ વાતનો ખુલાસો સ્ટાર સ્પિનર આર અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એસ બદ્રીનાથ સાથે વાતચીત દરમિયાન કર્યો હતો.
ડ્રેસિંગ રૂમમાં શું થયું હતું
ડ્રેસિંગ રૂમના વાતાવરણનું વર્ણન કરતાં અશ્વિને કહ્યું હતું કે, અમને દુ:ખ થયું છે. વિરાટ અને રોહિતને રડતા જોઈને ખોટું લાગ્યુ. અમારું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું હતું.
જીત અમારા નસીબમાં નહોતી
અશ્વિને કહ્યું કે, જીત અમારા નસીબમાં નહોતી. આ ટીમ અનુભવી હતી. દરેક જણ જાણતા હતા કે શું કરવું અને ખેલાડીઓ પ્રોફેશનલ હતા. દરેક વ્યક્તિ તેમની દિનચર્યા અને વોર્મઅપ જાણે છે. કેપ્ટન રોહિત શર્મા વિશે વાત કરતા અશ્વિને કહ્યું કે જો તમે ભારતીય ક્રિકેટ પર નજર કરશો તો બધા કહેશે કે એમએસ ધોની શ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે. રોહિત શર્મા એક અદ્ભુત વ્યક્તિ છે. તે ટીમના દરેકને સમજે છે. તે જાણે છે કે આપણામાંના દરેકને શું ગમે છે અને શું નાપસંદ છે.
કેપ્ટન વિશે શું કહ્યું અશ્વિને ?
અશ્વિને વધુમાં કહ્યું કે, રોહિતની સમજણ શક્તિ ઉત્તમ છે. તે દરેક સભ્યને વ્યક્તિગત રીતે જાણવાનો પ્રયાસ કરે છે. રોહિત દરેકને વ્યૂહરચના સમજાવવાનો પ્રયાસ કરે છે. ભારતીય ક્રિકેટમાં જોરદાર નેતૃત્વ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો