બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Rishikesh Patel's big statement after the arrest of Yuvraj Singh in the dummy scandal

મહેસાણા / 'ક્યાંક ને ક્યાંક આમાં ખોટું થવાની....', ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડ બાદ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 11:24 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YuvrajSinh Jadeja News: મહેસાણાના ઊંઝા ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડ મામલે મોટું નિવેદન આપ્યું

  • ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડનો મામલે ઋષિકેશ પટેલનું નિવેદન 
  • કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ખંડણીની ફરિયાદ નોધાય: ઋષિકેશ પટેલ 
  • પોલીસ પાસે પુરાવા હશે સત્ય હશે તો તપાસ ચોક્કસ થશે: ઋષિકેશ પટેલ 
  • યુવરાજસિંહે કરેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ થશે: ઋષિકેશ પટેલ  

મહેસાણાના ઊંઝા ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડમીકાંડમાં યુવરાજસિંહની ધરપકડ મામલે મોટું નિવેદન આપ્યું છે.ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈનું નામ નહિ લેવા કે બચાવવા જાઓ તો ખંડણીની ફરિયાદ નોધાય. આ સાથે કહ્યું કે, પોલીસ પાસે પુરાવા હશે સત્ય હશે તો તપાસ ચોક્કસ થશે. 

મહેસાણાનાં ઊંઝા પહોંચ્યા ઋષિકેશ પટેલ 

યુવરાજસિંહ જાડેજાની ગઈકાલે ભાવનગરમાં પૂછપરછ બાદ અટકાયત કરવામાં આવી હતી. આ તરફ હવે તેમની અટકાયત બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું છે કે, યુવરાજસિંહે કરેલા આક્ષેપો મુદ્દે પૂછપરછ થશે. એક બાજુ ડમીકાંડ કે બીજા વિષયોને લઈને સમાજમાં વાતો કરતા હોય, કોઈનું નામ નહિ લેવા માટે કે કોઈને બચાવવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ખંડણીની ફરિયાદ નોધાય. 

ઋષિકેશ પટેલે કહ્યું હતું કે તમે ડમી કાંડ કે સમાજના બીજા વિષયોને લઈને વાત કરતા હોય એ વખતે ક્યાંક નામ નહીં લેવા માટે.. ક્યાંક કોઈને બચાવવા માટેની પ્રવૃત્તિ કરતા હોવ જો સ્વાભાવિક છે કે ખંડણીની ફરિયાદ નોંધાય. મહત્વનું છે કે, આગામી સમયમાં યુવરાજસિંહ સામે શું પગલા ભરવામાં આવે છે અને પોલીસ કઈ બાબતે તપાસ કરવામાં માગે છે તે અંગેની રજૂઆત કોર્ટમાં રિમાન્ડ મેળવતી વખતે કરી શકે છે.

ગઈકાલે યુવરાજસિંહની ધરપકડ પછી શું કહ્યું હતું રેન્જ IG એ ? 

રેન્જ આઈજી ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી આજે 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલા હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવાની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે.

રેન્જ આઈજીએ જણાવ્યું કે,  યુવરાજસિંહને તેમના નાંણાકિય વ્યવહારો બાબતે સતત પૂછવામાં આવતા સતત પૂછપરછ કરવામાં આવતા તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. તેમની સમક્ષ હકિકતો મુકવામાં આવી પોલીસ પાસે પાપ્ત થયેલી માહિતીનું વેરિફિકેશન પણ મુકવામાં આવ્યું પણ તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે. પોલીસ પાસે જે હકિકતો પાપ્ત થઈ છે તે મુજબ યુવરાજસિંહ અને તેમના માણસોઓએ પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી 1 કરોડ જેટલી માતબર રકમ જબરદસ્તીથી કઢાવી લીધી છે જે માહિતીને અનુલક્ષી અને યુવરાજસિંહની સ્પષ્ટતા બાદ હકીકતોને અનુલક્ષીને આજે યુવરાજસિંહ અને અન્ય માણસોની વિરૂદ્ધ આજે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 386 અને 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ