બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Restaurant in Salangpur Dham at a cost of 55 crores

બોટાદ / આવું છે 'સાળંગપુર ધામ'માં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલું ભોજનાલય: જ્યાં એકસાથે 4 હજાર ભક્તો લઇ શકશે પ્રસાદ, કલાકમાં જ બની જશે 20 હજારની રસોઇ

Vishal Khamar

Last Updated: 04:03 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન દાદાની 4 કરોડ રૂપિયાના ખર્ચે મૂર્તિ તૈયાર થઇ છે. હનુમાન દાદાની આ મૂર્તિના સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકશો. 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે.

  • સાળંગપુર હનુમાનજી ની મૂર્તિનું અનાવરણ 
  • કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખાશે હવે દાદા 
  • આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન

હનુમાન દાદાની 4 કરોડ રૂપિયાના ખર્ચે મૂર્તિ તૈયાર થઇ છે.  હનુમાન દાદાની આ મૂર્તિના સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકશો. 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર કરાયું છે.  13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખી રાખવામાં આવી. 11,900 સ્ક્વેર ફૂટમાં બનશે વાવ અને એમ્ફી થિએટરનું નિર્માણ કરવામાં આવશે. એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.  મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.  ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.  55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે.  3 લાખ સ્કેવર ફૂટમાં ભોજનાલય પથરાયેલુ છે.  એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકે તેવું બનાવવામાં આવ્યું છે. ત્યારે ભોજનાલય લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. અહીંની મેસમાં થર્મલ બેઝથી તૈયાર થશે  રસોઇ. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી. ત્યારે હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું ઉદ્ધાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે કરવામાં આવનાર છે.

મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યું
સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે. આ માટે અહીં જે હનુમાન દાદાની મૂર્તિ તૈયાર કરાઇ છે તે માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સાળંગપુર આવતા સાત કિલોમીટર દૂરથી આ મુર્તિ જોઇ શકાશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1 લાખ 35 હજાર સ્ક્વેર ફૂટમાં તૈયાર થયો છે જેમાં 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ રાખવામાં આવી છે.દક્ષિણ મુખી આ મુર્તિને વાસ્તુ પ્રમાણે ગોઠવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 11,900 સ્ક્વેર ફૂટમાં  વાવ અને એમ્ફી થિએટર બનાવવામાં આવ્યું છે. આ આ એમ્ફી થિએટરમાં 1500થી વધુ દર્શનાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સામે 62 હજાર સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન બનાવવામાં આવ્યો છે. 

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરાશે

ગાર્ડનમાં 12 હજાર લોકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. જે 3 લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલુ છે. આ ભોજનાલયમાં એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકશે. લેટેસ્ટ ટેકનોલોજીથી તે સજ્જ છે અહીં થર્મલ બેઝથી રસોઇ તૈયાર કરવામાં આવશે. 15 હજાર લોકોની રસોઈ માત્ર એક કલાકમાં જ બને તેવી મશીનરી મુકવામાં આવી છે.  હનુમાન જયંતીના દિવસે આ ભોજનાલયનું  ઉદ્ધાટન  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. હનુમાન જયંતીનાં દિવસે આ જગ્યા લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”. 

ગુજરાતનું સૌથી મોટું હાઇટેક “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” બનાવવામાં આવ્યું છે.  ત્યારે 55 કરોડના ખર્ચે થયુ “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”નું નિમાર્ણ થયું છે. જેમાં 4 હજાર હરિભક્તો એક સાથે બેસી જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 7 વીઘામાં  ભોજનાલય પથરાયેલુ છે.  તેમજ 3લાખ 25 હજાર સ્ક્વેર ફુટમાં બિલ્ડીંગનુ બાંધકામ પણ કરવામાં આવ્યું છે. 255 કોલમ પર ઊભું કરાયું “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય”. 

ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી બનશે રસોઈ

ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે.  ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે.  30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો
ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે. તેમજ ભોજનાલયમાં કુલ 5 લિફ્ટ બનાવવામાં આવી છે. ઇન્ડિયન રોમન સ્ટાઇલનું ભોજનાલયનું એલિવેશન છે. તેમજ ભોજનાલયમાં કુલ 17 લાખથી વધુ શ્રીરામ લખેલી ઇંટોનો ઉપયોગ થયો છે. 3 મહિનામાં ગાંધીનગરના ભઠ્ઠામાં ઇંટો બનાવી. 3,35,000 સ્ક્વેર ફૂટમાં વિશેષ ટાઈલ્સ લગાવવામાં આવી છે.  25 તીર્થધામની માટીનો ઉપયોગ ભોજનાલય બનાવવામાં થયો. આ ટાઈલ્સ મોરબીમાં 3 મહિનામાં બનાવાઈ. બાંધકામમાં 22 લાખ 75 હજાર ટનથી વધુ લોખંડનો ઉપયોગ કરાયો છે. 180 કારીગરો દિવસના 12 કલાક કામ કરતા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ