બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / reliance-to-roll-out-own-vaccination-programme-r-surakshaa-know-who-and-when-get-vaccinated
ADVERTISEMENT
દેશમાં કોરોના રસીકરણના ચોથા તબક્કાની શરૂઆત 1 મેથી થઈ રહી છે. આ અંતર્ગત, 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો કોરોનાને રોકવા માટે રસીનો ડોઝ મેળવી શકશે. દરમિયાન, દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો કોરોના રસીકરણ કાર્યક્રમ R-Suraksha ની જાહેરાત કરી છે. આ અંતર્ગત, રિલાયન્સના 18 વર્ષથી ઉપરના કર્મચારીઓ અને પાત્ર પરિવારના સભ્યોને 1 મેથી નિ:શુલ્ક રસી આપવામાં આવશે.
Reliance will roll out our own vaccination programme, R-Surakshaa, across locations for all our employees and eligible family members above the age of 18 years, effective May 1: Reliance Industries Limited pic.twitter.com/bh2U9Atb5R
— ANI (@ANI) April 23, 2021
ADVERTISEMENT
રિલાયન્સ ચેરમેને લખ્યો પત્ર
ADVERTISEMENT
રિલાયન્સના ચીફ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ પરિવારના તમામ કર્મચારીઓને પત્રમાં લખ્યું છે કે ભારત હાલમાં કોરોનાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. આ રોગચાળાને કારણે દેશના તબીબો અને આરોગ્ય કર્મચારીઓ ઉપર ખૂબ જ દબાણ છે. કોરોના સંક્રમણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ વધારો આવતા કેટલાક અઠવાડિયા સુધી દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, આપણે વધુ કાળજી લેવાની જરૂર છે. મુકેશ અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને ખાતરી આપી હતી કે રિલાયન્સ ફાઉન્ડેશન અને અન્ય સંસ્થાઓ કર્મચારીઓના ફાયદા માટે તેમની સાથે છે.

ADVERTISEMENT
R-Suraksha કાર્યક્રમ 1 મેથી શરૂ થવાનો છે
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે રિલાયન્સના ઘણા કર્મચારીઓએ કોવિડ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કરાવ્યું હતું. રિલાયન્સ તમામ કર્મચારીઓના રસીકરણનો ખર્ચ ઉઠાવી રહી છે અને આગળપ ઉઠાવતી રહેશે. સરકારે જાહેર કરેલા કોરોના રસીકરણના નવા તબક્કાની સાથે, રિલાયન્સ પોતાનો રસીકરણ કાર્યક્રમ R-Suraksha શરૂ કરી રહી છે. આ અંતર્ગત રિલાયન્સના તમામ લોકેશન્સ પર કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં 18 વર્ષથી વધુની રિલાયન્સના તમામ કર્મચારીઓ શામેલ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.