બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Malay
Last Updated: 02:19 PM, 30 August 2023
Rakshabandhan 2023: આજે ગુજરાત સહિત દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈની દરેક રીતે રક્ષા થાય તેવા આશીર્વાદ આપે છે, તો ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. ત્યારે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં કોમી એકતાના દર્શન થયા છે.
મુસ્લિમ બહેનોએ મહંતને બાંધી રાખડી
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આજે સવારે મુસ્લિમ બહેનો જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચી હતી. ત્યાર બાદ મુસ્લિમ બહેનોએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને પરંપરા મુજબ તિલક કરીને રાખડી બાંધી હતી અને મીઠાઈ પણ ખવડાઈ હતી. ફક્ત એટલું જ નહીં આ બહેનોએ મહંત દિલીપદાસજી માટે જાતે તરંગા અને ભગાવાન જગન્નાથજીની પ્રતિકૃતિવાળી રાખડી બનાવી હતી. સાથે કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.
જગન્નાથજી મંદિર સાથે જોડાયેલો છે મુસ્લિમ સમાજઃ મહંત દિલીપદાસજી
આ તકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ ભાઈ-બહેનનો એક અનોખો તહેવાર છે. ત્યારે મુસ્લિમ સમાજ પણ એકતા અને બંધુત્વની ભાવના સાથે જગન્નાથજી મંદિર સાથે જોડાયેલો છે. અનેક તહેવારોમાં તેમનો સાથ અને સહકાર મંદિર સાથે રહેલો છે. ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર મુસ્લિમ બહેનોએ આવીને રાખડી બાંધી છે અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો