બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 05:12 PM, 23 July 2023
રાજકોટ જિલ્લામાં સરધારથી ચાર કિમી દૂર ખારચિયા ગામ આવેલું છે જ્યાં વરસાદે તારાજી સર્જી છે. ખારચીયા ગામના લોકો ચાર કલાક સુધી ધાબા પર રહ્યા હતાં તેમજ ગામના ઘરોમાં છ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ઘરમાં પાણી ભરાઈ જતા એક પરિવારની દીકરીના કરિયાવરના કપડા પણ પલડી ગયા હતા તો બીજી તરફ હજારો મણ ઘઉં પણ પલડી ગયા છે, લોકો કુદરતના કહેર સામે લાચાર બન્યા હોય તેવા દર્શ્યો સર્જાયા છે.
ઘરમાં છ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું
રાજકોટ જિલ્લાના સરધારથી ચાર કિલોમીટર દૂર ખારચિયા ગામમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. એક તરફ રાત આખી વરસાદ ચાલુ રહ્યો અને બીજી તરફ ગામમાંથી નીકળતી નદી ગામમાં ઘૂસી ગઈ અને પાણીનો પ્રવાહ બમણો થઈ ગયો હતો. લોકોના ઘરમાં છ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું હતું અને રાત્રે 3:00 વાગ્યાથી ગામ આખું પાણીથી તરબોળ બની ગયું હતું. જે તબાઈ જોઈ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. મોટાભાગના લોકો પાકા મકાનની અગાસીએ ત્રણથી સવારે સાત વાગ્યા સુધી પાણીના પ્રવાહના ડરના કારણે રહ્યા હતા. પરંતુ એક પણ ઘર એવું બાકી નથી કે જેમાં ઘરવખરી સહીસલામત હોય. ખાવા પીવાનો સામાન હોય ગોદડા-ગાદલા હોય કે પછી ફ્રીજ, ટીવી જેવી તમામ વસ્તુઓ પાણીમાં પલડી ગઈ છે
ઘઉં સહિતનો અનાજ પાણીમાં પલડી ગયો
ખેડૂતોની છ મહિનાની મહેનતે તૈયાર કરેલા ઘઉં સહિતનો અનાજ પાણીમાં પલડી ગયો છે. ખેતીમાં કપાસ ઉગાડી મહેનત કરેલી તે તમામ મહેનત પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક મણ ઘઉં પાણીમાં ડૂબી ગયા છે તો કપાસ પણ પલડી ગયો છે. હવે લોકો પોતાની વ્યથામાં જણાવી રહ્યાં છે કે, હવે કંઈક જ કામનું રહ્યું નથી, તમામ અનાજ ફેંકી જ દેવો પડે. ગામ વાસીઓ કઠણ જીવે પોતાના મહેનતના ઉગાડેલા ઘઉં ફેંકી રહ્યા છે. રૂ 600 મણનો ભાવ ગણીએ તો પણ અનેક મણ ઘઉં પાણીમાં તણાઈ ગયા છે. છ મહિનાની મહેનત પણ પાણીમાં તણાઈ ગઈ છે. આ સિવાય ગામમાં એક વૃદ્ધ પણ તણાઈ ગયા હતા. જો કે, સદનસીબે તેમનો રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે.
રોગચાળાનો ભય
હાલમાં આ ગામમાં અનેક પશુઓના મૃત્યુ થયા છે અને તેમના મૃતદેહો પણ ત્યાં જ પડ્યા છે. જેને લઈ રોગચાળાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. આ સિવાય એક પણ ઘર એવું બાકી નહીં હોય કે જેમાં પાંચ ફૂટ જેટલું પાણી નહીં હોય અને તમામ ઘરવખરી પલડી નહીં હોય હાલ ગામવાસીઓ જાત મહેનત જિંદાબાદ સમજી પોતાના ઘર સરખા કરી રહ્યા છે પરંતુ તંત્ર પાસે મદદની અપેક્ષા તો રાખી જ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime