બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:19 PM, 21 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અચાનક બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણ એમ છે કે, રાહુલ ગાંધી આજે એટલે કે રવિવારે રાંચીમાં યોજાનારી 'INDIA' ગઠબંધનની રેલીમાં ભાગ નહીં લે. આટલું જ નહીં તેઓ મધ્યપ્રદેશના સતનામાં યોજાનારી રાહુલની રેલીમાં પણ ભાગ લેશે નહીં. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
ADVERTISEMENT
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024
ADVERTISEMENT
જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધી આજે સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, જ્યાં INDIA ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. પરંતુ તેઓ અચાનક બીમાર પડી ગયા છે અને હાલ નવી દિલ્હીની બહાર જઈ શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતનામાં રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ રાંચીમાં INDIA ગઠબંધનની રેલીમાં ભાગ લેશે.
ADVERTISEMENT
આજે રાંચીમાં INDIA ગઠબંધનની રેલી
રાંચીમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે INDIA ગઠબંધનની તાકાતનો દેખાવ છે. રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેગા રેલીને 'ઉલ્ગુલાન ન્યાય રેલી' નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ 14 પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. આ મેગા રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, આરજેડી નેતા તેજસ્વી યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ સહિત ઘણા વિપક્ષી નેતાઓ પહોંચી રહ્યા છે. આ રેલીમાં રાહુલ ગાંધી પણ ભાગ લેવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રેલીમાં ભાગ લેશે નહીં. રાંચીમાં યોજાનારી આ રેલી પહેલા પણ 31 માર્ચે રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.