બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Priyakant
Last Updated: 03:19 PM, 21 April 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અચાનક બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણ એમ છે કે, રાહુલ ગાંધી આજે એટલે કે રવિવારે રાંચીમાં યોજાનારી 'INDIA' ગઠબંધનની રેલીમાં ભાગ નહીં લે. આટલું જ નહીં તેઓ મધ્યપ્રદેશના સતનામાં યોજાનારી રાહુલની રેલીમાં પણ ભાગ લેશે નહીં. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી.
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024
જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, રાહુલ ગાંધી આજે સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા, જ્યાં INDIA ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. પરંતુ તેઓ અચાનક બીમાર પડી ગયા છે અને હાલ નવી દિલ્હીની બહાર જઈ શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતનામાં રેલીને સંબોધિત કરશે. આ પછી તેઓ રાંચીમાં INDIA ગઠબંધનની રેલીમાં ભાગ લેશે.
આજે રાંચીમાં INDIA ગઠબંધનની રેલી
રાંચીમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે INDIA ગઠબંધનની તાકાતનો દેખાવ છે. રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડમાં યોજાનારી આ મેગા રેલીને 'ઉલ્ગુલાન ન્યાય રેલી' નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ 14 પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. આ મેગા રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, આરજેડી નેતા તેજસ્વી યાદવ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, આપ નેતા સંજય સિંહ સહિત ઘણા વિપક્ષી નેતાઓ પહોંચી રહ્યા છે. આ રેલીમાં રાહુલ ગાંધી પણ ભાગ લેવાના હતા. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ રેલીમાં ભાગ લેશે નહીં. રાંચીમાં યોજાનારી આ રેલી પહેલા પણ 31 માર્ચે રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની જાહેર સભા યોજાઈ હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો