બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / rahul gandhi slams modi government over india practice against coronavirus covid 19
Krupa
Last Updated: 05:41 PM, 4 April 2020
રાહુલ ગાંધીએ દુનિયાના ઘણા પ્રમુખ દેશો અને ભારતમાં કોરોનાની તપાસના આંકડાથી જોડાયેલો એક ગ્રાફ શેર કરતાં ટ્વિટ કર્યું, 'ભારત કોવિડ 19થી લડવા માટે પૂરતી તપાસ કરી રહ્યું નથી.' એમને પ્રધાનમંત્રીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, 'લોકો પાસે તાળી પડાવાથી કે દીવા કરાવવાથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં.'
India is simply not testing enough to fight the #Covid19 virus.
— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2020
Making people clap & shining torches in the sky isn't going to solve the problem. pic.twitter.com/yMlYbiixxW
વાસ્તવમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ લડાઇમાં દેશની 'સામૂહિક શક્તિ'ને મહત્વને રેખાંકિત કરતા રવિવારે પાંચ એપ્રિલે દેશવાસીઓને પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા રહીને 9 મીનિટ માટે મીણબત્તી, દીવો, ટૉર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ કરવાની અપીલ કરી છે.
જણાવી દઇએ કે ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 68 લોકોના મૃત્યુ થયા છે અને સંક્રમિતોની સંખ્યા 2900 પાર પહોંચી ગઇ છે. દેશભરમાં અત્યાર સુધી કુલ સંક્રમિત 2902 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 601 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે આ જ 24 કલાકની અંજર 12 મોત પણ થયા. આ સમાચાર વચ્ચે એક સારા સમાચાર એ છે કે એના સંક્રમણથી કુલ 184 લોકો ઠીક થઇ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આંકડા જારી કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ