બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / rahul gandhi gets bungalow after lok sabha membership restored by center modi governmen
Hiralal
Last Updated: 03:58 PM, 8 August 2023
મોદી સરનેમ કેસમાં સુપ્રીમની સજા સ્ટે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક પછી એક રાહત મળવા લાગી છે. પહેલા તેમને લોકસભાનું સભ્યપદ પાછું આપવામાં આવ્યું અને હવે તેમને ફરી તેમનો જુનો બંગલો પાછો અપાયો છે. લોકસભા હાઉસ કમિટીએ રાહુલ ગાંધીને 12 તુઘલક રોડ પરનો જુનો બંગલો રાહુલ ગાંધીને પાછો આવ્યો છે. સંસદમાંથી ગેરલાયક ઠર્યા બાદ રાહુલ ગાંધીને આ બંગલો ખાલી કરવાની નોટીસ આપવામાં આવી હતી જે પછી રાહુલ બંગલો ખાલી કરીને માતા સોનિયા ગાંધીના મકાનમાં ચાલ્યાં ગયા હતા.
PHOTO | Congress leader @RahulGandhi has been re-allotted the 12, Tughlaq Lane bungalow, a day after his Lok Sabha membership was restored as per the directive of the Supreme Court. pic.twitter.com/m1rT3Jnj90
— Press Trust of India (@PTI_News) August 8, 2023
આખું હિંદુસ્તાન મારું ઘર છે-રાહુલ ગાંધી
સરકારી બંગલો પાછો મળવા પર રાહુલ ગાંધીએ કહ્યું કે આખું હિંદુસ્તાન તેમનું ઘર છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને ફરી વાર 12 તુઘલક લેન પરનો જે બંગલો ફાળવાયો છે તેમાં તેઓ છેલ્લા 19 વર્ષથી રહેતા હતા.
VIDEO | "Mera ghar poora Hindustan hai (Whole India is my home), " says @RahulGandhi as he gets back 12 Tughlaq Lane residence in Delhi, a day after he was reinstated as member of Lok Sabha. pic.twitter.com/NQoo9wkh36
— Press Trust of India (@PTI_News) August 8, 2023
અત્યાર સુધી સોનિયા ગાંધી સાથે રહેતા હતા
રાહુલ ગાંધી સંસદમાંથી ગેરલાયક ઠર્યાં બાદ બંગલો ખાલી કરીને સોનિયા ગાંધી સાથે રહેવા આવી ગયા હતા. પરંતુ હવે તેઓ તેમના જુના બંગલામાં શિફ્ટ થઈ જશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદીની સરનેમ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુન:સ્થાપિત કરવામાં આવી હતી.
મોદી સરનેમ કેસમાં રાહુલને મળી બે-ત્રણ રાહત
રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં ગુજરાતની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી, કેન્દ્ર સરકારે તેમનું લોકસભા સભ્યપદ રદ કર્યું હતું. પછી તેનો સત્તાવાર બંગલો પાછો લઈ લેવામાં આવ્યો. આ પછી રાહુલ ગાંધી હાઇકોર્ટ પહોંચ્યા હતા પરંતુ તેમને રાહત મળી ન હતી. આખરે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ