બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / property rights of mother or wife on sons property know how to divide son property after his death property
Manisha Jogi
Last Updated: 09:02 AM, 7 May 2023
વ્યક્તિ જીવિત હોય ત્યારે સંપત્તિની વહેંચણી થઈ જાય તો મુશ્કેલી નથી. વ્યક્તિના મૃત્યુ પછી અનેક વિવાદ થાય છે. પિતાની સંપત્તિ બાબતે વિવાદ થાય છે. અહીંયા અમે તમને જાણકારી આપી રહ્યા છીએ કે, પુત્રની સંપત્તિ પર માઁનો અધિકાર હોય છે કે પત્નીનો અધિકાર હોય છે? હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956માં પુત્રની સંપત્તિ પરના અધિકાર બાબતે જણાવવામાં આવ્યું છે. પુત્ર પરિણીત અથવા અપરિણીત હોય તો તે પ્રકારે સંપત્તિની વહેંચણી કરવામાં આવે છે.
ભારતનો કાયદો
અનેક કેસ સામે આવ્યા છે, જેમાં મૃત પુત્રની સંપત્તિમાં માઁ ને હક્ક આપવામાં આવતો નથી. આ પ્રકારે કરવું બિલકુલ પણ અયોગ્ય છે. આ કાયદા વિશે માઁને જાણકારી હોતી નથી અને તે વૃદ્ધાશ્રમમાં રહેવા લાગે છે. ભારતીય કાયદાની મદદથી માઁ પોતાના અધિકાર માટે લડાઈ લડી શકે છે, જેનાથી મૃત પુત્રની સંપત્તિમાં પણ માઁને હક્ક મળશે.
મૃત પુત્રની સંપત્તિમાં માઁનો અધિકાર
જેટલો હક્ક બાળકો અને પત્નીને મળે છે, તેટલો હક્ક માઁને પણ મળે છે. પતિની સંપત્તિની વહેંચણી થાય તો તેની પત્નીને પણ બાળકો જેટલો જ તે સંપત્તિમાં અધિકાર મળે છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની ધારા 8 હેઠળ બાળકોની સંપત્તિ પર માતા-પિતાના અધિકાર વિશે જણાવવામાં આવ્યું છે. બાળકોની સંપત્તિમાં માઁને પહેલો વારસો આપવામાં આવે છે. ત્યારપછી બીજા વારસદાર પિતા હોય છે. જો કોઈ મૃત વ્યક્તિની માઁ પત્ની અને બાળક જીવિત હોય તો, તે સંપત્તિ માઁ, પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવે છે.
પરિણીત અને અપરિણીત હોવાની પરિસ્થિતિમાં
હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અનુસાર પુરુણ અપરિણીત હોય તો તેની સંપત્તિમાં પહેલો વારસો તેની માઁ અને બીજો વારસો તેના પિતાને હસ્તાંતરિત કરી દેવામાં આવશે. માઁ જીવિત ના હોય તો સંપત્તિ પિતા અને તેના સહ-વારસાઓને આપવામાં આવશે. મૃતક હિંદુ વિવાહિત પુરુષ હોય અને વારસાનામું ના કર્યું હોય તો તેની પત્નીને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 અનુસાર સંપત્તિનો અધિકાર આપવામાં આવશે. આ પ્રકારના મામલાઓમાં પત્નીને પહેલી શ્રેણીનો વારસ માનવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ