બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અમદાવાદ / professors of gujarat given responsibilities of 900 bed covid hospital of Ahmedabad
Parth
Last Updated: 08:15 PM, 24 April 2021
હાલ કોલેજો બંધ છે ત્યારે હોસ્પિટલની કામગીરી અપાઈ
અમદાવાદમાં શિક્ષકો બાદ અધ્યાપકોને પણ કોવીડમાં કામગીરી સોંપવામાં આવી છે. નવી 900 બેડ હોસ્પિટલમાં અધ્યાપકોને જવાબદારી સોંપવામાં આવી છે. હોસ્પિટલના અમલીકરણ અને સંચાલનની જવાબદારી અધ્યાપકો પર છે. જેમાં 4 આચાર્ય સહીત 20 પ્રોફેસરોને 900 બેડ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ કોલેજો બંધ છે ત્યારે હોસ્પિટલની કામગીરી આપવામાં આવી છે. થોડા સમય બાદ અન્ય અધ્યાપકોને પણ જવાબદારી સોંપવામાં આવશે.
4 આચાર્ય સહીત 20 પ્રોફેસરોને 900 બેડ હોસ્પિટલમાં જવાબદારી
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે ત્યારે ઘણા બધા લોકો સારવાર વિના જપોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હવે મોટી કોવિડ હોસ્પિટલો બનાવવા માટે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં યુનિવર્સિટી હૉલમાં 900 બેડની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે.
હોસ્પિટલના અમલીકરણ અને સંચાલનની જવાબદારી અધ્યાપકો પર
આ હોસ્પિટલમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કોરોના વાયરસના કારણે કૉલેજ બંધ છે ત્યારે હોસ્પિટલની કામગીરી પ્રોફેસરોને આપી દેવામાં આવી છે. હોસ્પિટલના અમલીકરણ અને સંચાલનની જવાબદારી અધ્યાપકો પર છે. જેમાં 4 આચાર્ય સહીત 20 પ્રોફેસરોને 900 બેડ હોસ્પિટલની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા સમય બાદ અન્ય અધ્યાપકોને પણ જવાબદારી સોંપવામાં આવશે.
શિક્ષકો બાદ અધ્યાપકોને પણ કામગીરી સોંપાઈ
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએથી વધી રહ્યા છે ત્યારે જુદા જુદા સરકારી સ્ટાફને કોરોના ડ્યુટિ આપવામાં આવી રહી છે. પહેલા શિક્ષકોને પણ કોરોના વાયરસના જુદા જુદા કામોમાં રોકવામાં આવ્યા છે.
અમિત શાહ આવ્યા હતા ગુજરાત
નોંધનીય છે કે અમદાવાદમાં સતત વધતાં કેસ વચ્ચે અમદાવાદના GMDCમાં યુનિવર્સિટી હૉલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે જેનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ