બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Prime Minister Modi will campaign in Gujarat from Sri Ganesh Kaprada Taluka
Dinesh
Last Updated: 12:01 AM, 6 November 2022
ગુજરાત વિધાનસભાની બ્યૂગલ વાગી ચૂંક્યા છે. અને રાજકીય પક્ષોની પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્રણય પક્ષો ચૂંટણી જીતવા માટે પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદી ગુજરાતમા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકશે. ચૂંટણી જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિધિવત રીતે નાનાપોંઢાના ઐતિહાસિક મેદાનથી ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરાવશે. ચૂંટણી સભાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની આગેવાનીમાં સભા સ્થળ પર એક વિશેષ બેઠક મળી હતી. આ બેઠકમાં PM મોદીની સભાને લઈને તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે
વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢાથી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણસિંગુ ફૂકશે. ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત રીતે નાનાપોંઢાના ઐતિહાસિક મેદાનથી ચૂંટણી પ્રચાર અભિયાનના શ્રીગણેશ કરાવશે. રાજ્યના છેવાડાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનો આરંભ કરવા જઈ રહ્યા હોવાથી વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાનની ચૂંટણી સભાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. સભા દરમિયાન સુરક્ષા બંદોબસ્તમાં પાંચ SP, 13 ડીવાયએસપી, 23 થી વધુ પીઆઇ, અને 130 થી વધુ પીએસઆઇ સાથે 1 હજારથી વધારે પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, PM મોદીની સભાને લઈને વલસાડ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના
કનુભાઈ દેસાઈનું નિવેદન
વલસાડ જિલ્લાના નાનાપોંઢાના ઐતિહાસિક મેદાનથી પીએમ ચૂંટણી પ્રચારનો આરંભ કરવાના છે. વલસાડ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીતશે અને જીતના અત્યાર સુધીના તમામ રેકોર્ડો તૂટશે તેવો આશાવાદ કનુભાઈ દેસાઈએ વ્યક્ત કર્યો હતો.
PM ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમ હાજરી આપશે
PM મોદી ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. સમૂહલગ્નમાં મોટી સંખ્યમાં પાટીદાર સમાજ એકત્રિત થવાના છે. જ્યાં જવાહર મેદાનમાં 552 દીકરીઓના સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે. સમૂહ લગ્નનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. એવી દીકરીઓ છે જે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે તેમના સમૂહલગ્ન આયોજન કરાયું છે. ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા સમૂહલગ્નનું આયોજન કરામાં આવ્યું છે. સમૂહલગ્નમાં દીકરીઓને અંદાજે રૂપિયા 2 લાખ ઉપરાંતનો કરીયાવર આપવામાં આવશે. જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ આપવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો