બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / President Droupadi Murmu approved the appointment of Directors for 8 IITs
Dhruv
Last Updated: 08:16 AM, 20 September 2022
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારના 19 સપ્ટેમ્બરના રોજ 8 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં નવા ડિરેક્ટરોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ અંગે ખુદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે.
President Droupadi Murmu approved the appointment of Directors for 8 IITs including Palakkad, Tirupati, Dharwad, Bhilai, Gandhinagar, Bhubaneswar, Goa & Jammu: Ministry of Education pic.twitter.com/UGl6z55xBP
— ANI (@ANI) September 20, 2022
શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે IIT મદ્રાસના પ્રોફેસર શેષાદ્રી શેખર અને પ્રોફેસર શ્રીપદ કર્માલ્કરને ક્રમશ: IIT પલક્કડ અને IIT ભુવનેશ્વરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે IIT ખડગપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર વેંકયપ્પા.આર દેસાઈને IIT ધારવાડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તો IIT ધારવાડના વર્તમાન ડિરેક્ટર પ્રોફેસર પશુમર્થી સેશુને IIT ગોવાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તદુપરાંત પ્રોફેસર કે.એન સત્યનારાયણને આઈઆઈટી તિરુપતિ, પ્રોફેસર રાજીવ પ્રકાશને આઈઆઈટી ભિલાઈ, પ્રોફેસર રજત મૂનાને આઈઆઈટી ગાંધીનગર અને પ્રોફેસર મનોજ સિંહ ગૌરને આઈઆઈટી જમ્મુના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આથી, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વતી ટ્વિટ કરીને આ તમામ પ્રોફેસરોને તેમની નવી નિમણૂંક અને ડાયરેક્ટર બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
Hon’ble President of India Smt Droupadi Murmu in her capacity as the Visitor of IITs approves the appointment of Directors of IITs. @EduMinOfIndia extends best wishes for a fulfilling and successful tenure. pic.twitter.com/EdCbMZ1fFX
— Ministry of Education (@EduMinOfIndia) September 19, 2022
આ અગાઉ સોમવારના રોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી, પરંતુ તે વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા અને માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેનું મંદિર છે. તેઓએ એમ પણ કહ્યું કે, અમારા સમાજને તમામ IIT પાસેથી અનેક અપેક્ષાઓ છે. આઈઆઈટીમાં શિક્ષણ મેળવતા આપણા વિદ્યાર્થીઓએ પ્રગતિ અને વિકાસના માર્ગદર્શક બનવું પડશે. તેઓએ કહ્યું કે હવે તે દિવસ દૂર નથી કે જ્યારે સમગ્ર વિશ્વ મગજ સંશોધન કેન્દ્રનો લાભ લેવા IIT મદ્રાસ આવશે. 3D-પ્રિંટિંગ ટેક્નોલોજી જેવા નવીન વિચારો બાંધકામ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, વિસ્થાપનના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઘણી મદદ કરી શકે છે અને ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપી શકે છે.
President Droupadi Murmu approves appointment of Directors for 8 Indian Institutes of Technolgy (IITs): Education Ministry
— Press Trust of India (@PTI_News) September 19, 2022
કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભારપૂર્વક નિવેદન આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે 'પંચ પ્રાણ' અપનાવવાની આપણા સૌને અપીલ કરી છે. ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા તેમજ 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં IIT મદ્રાસ જેવી સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. આગામી 25 વર્ષ આપણા બધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે 'અમૃત કાલ' માં પ્રવેશ કરતા સમયે આપણે એક એવા દેશ પર વિજય મેળવ્યો કે છે જેણે આપણને વસાહતીકરણ બનાવી લીધા હતા. ભારત અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતની સ્થાનિક જરૂરિયાતો વિશાળ હશે કે જે આપણા તમામ IIT એ પૂરી કરવી પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime