બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vishal Khamar
Last Updated: 11:19 AM, 27 January 2024
અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે. વિદ્યાર્થીઓ ભય મુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે જ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
શહેરની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતો હોય તેવા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ થાય તે હેતુથી પ્રિ-બોર્ડની પરીક્ષાનું આયોજન ગત વર્ષથી જ અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે. ત્યારે ગયા વર્ષે પણ ખૂબ સારી સફળતા મળી હતી. જેના ભાગરૂપે પણ આ વર્ષે પણ અમદાવાદ શહેર સંકલન સમિતિ તેમજ અમદાવાદ ટીમ દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન અમદાવાદ શહેરમાં આજથી કરવામાં આવેલું છે. આજે અમદાવાદની 552 જેટલી શાળાઓમાં 46 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આજે વિદ્યાર્થીઓનું પ્રથમ પ્રશ્નપત્ર છે.
વધુ વાંચોઃ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઇ ગોહિલનું નિધન, ધરાવતા સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ
ધો. 10 ના મુખ્ય પાંચ વિષયોની પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરાયું
જે સેન્ટ્રલાઈઝ પદ્ધતિથી પ્રશ્નપત્ર આવે એટલે સારા પ્રશ્નપત્રનો પણ એમને અનુભવ થશે. જે શાળા કક્ષાએથી નહી પરંતું બહારથી જ આવતું હોય. જેવી રીતે બોર્ડનું પ્રશ્નપત્ર આવતું હોય. હોલ ટીકીટ પણ વિદ્યાર્થીઓની બોર્ડની જેમ જ કઢાવવામાં આવી છે. સાથે સાથે ખાખી સ્ટીકર તેમજ બારકોડ સ્ટીકર પણ છે. જેથી કરીને વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવશે. તેમજ ઉત્તરવહીનું મૂલ્યાંકન બોર્ડની પદ્ધતિ પ્રમાણે થશે. એ પણ નિદર્શન વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે. આ પ્રિલીમ પરીક્ષામાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોનું પ્રિલીમ પરીક્ષાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime