બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurated 'Semicon India 2023' in Gandhinagar
Priyakant
Last Updated: 11:58 AM, 28 July 2023
બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલ PM મોદીએ ગઈકાલે રાજકોટમાં 2033 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી સભા સંબોધી હતી. આ તરફ હવે આજે PM નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચ્યા છે અને સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કર્યું છે.
નોંધનીય છે કે, PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠક કરશે.
આજે બપોરે ભવ્ય ભોજન વ્યવસ્થા
PM મોદી આજે બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે. PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું આયોજન નવનિયુક્ત સાંસદ બાબુભાઈ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ, MP-MLA તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
રાજકોટમાં હીરાસર એરપોર્ટનું કર્યું હતું લોકાર્પણ
PM મોદી ગઈકાલે રાજકોટ પ્રવાસે હતા. જ્યાં રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. બાદમાં PM મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હીરાસર એરપોર્ટ પર સ્વાગત કરાયું હતું. હીરાસર એરપોર્ટના પરિસરનું નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં હીરાસર એરપોર્ટનું PM મોદીએ રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું. હીરાસર એરપોર્ટથી રવાના થઈ તેઓ રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ