બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / parivartan yatra of Youth Congress will start in Gujarat from today
Dhruv
Last Updated: 08:59 AM, 22 September 2022
આજથી ગુજરાતમાં યુથ કોંગ્રેસની (Youth Congress)ની પરિવર્તન યાત્રા (Parivartan Yatra) શરૂ થશે. કોંગ્રેસ દ્વારા અંબાજીથી ઉમરગામ સુધી 1 હજાર 200 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મા અંબેના દર્શનથી થશે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા હાજર રહેશે. રાજ્યમાં ડ્રગ્સ, મોંઘવારી અને રોજગારી સહિતના મુદ્દાઓને લઈને આ યાત્રાનું આયોજન કરાયું છે.
સમગ્ર દેશમાં મોંઘવારી-બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ
મહત્વનું છે કે, દેશમાં મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ અનેક વાર પ્રહાર કરતી હોય છે. ત્યારે સમગ્ર દેશમાં મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આથી ગુજરાત યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા શરુ કરશે. જેની શરૂઆત ગુજરાતમાં અંબાજી માના ધામથી કરાશે.
બીજા તબક્કામાં સોમનાથ મહાદેવના દર્શન કરીને યાત્રા શરૂ કરાશે
યુથ કોંગ્રેસના આગેવાનો અંબે માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરશે. જ્યારે બીજા તબક્કામાં દશેરાના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને કોંગ્રેસ સોમનાથથી સૂઈગામની યાત્રા કરશે. 1200 કિલોમીટરની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા તેમજ સાંજના મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાશે.
યુવાઓ કોંગ્રેસની આ યાત્રામાં જોડાશે
'પરિવર્તન યાત્રા' અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, '27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું જો કોઈને આવ્યું હોય તો તે છે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણૂંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ