વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો.
સોલર ઉર્જા માટે લીઝ પર અપાતી જમીનનો મામલો
પરેશ ધાનાણીના પ્રશ્નને લઈને સરકાર મુંઝવણમાં
ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે?: ધાનાણી
ગુજરાત વિધાનસભામાં બજેટ બાદ પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષને પ્રશ્નો પૂછાયા હતા. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો. પરેશ ધાનાણીએ પૂછ્યો કે, ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? પરેશ ધાનાણીના આ સવાલનો જવાબ સરકાર પણ રજૂ કરી શકી નહોતી.
પરેશ ધાનાણીના 3 સવાલનો જવાબ સરકાર પાસે પણ નહીં?
જોવામાં આવે તો, વિપક્ષ નેતાનો આ સવાલ પણ યોગ્ય છે. સરકાર સોલર ઊર્જાના ક્ષેત્રે અનેક યોજનાઓ લઈ આવી રહી છે. ત્યારે ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? અને લીઝ પરની જમીન NA થયા બાદ ફરી ખેતીલાયક બનશે કે નહીં. જો જમીન લીઝ પૂર્ણ થયા બાદ ફરી ખેતી કરી શકે કે નહીં?