બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Vishal Khamar
Last Updated: 04:50 PM, 17 April 2023
એએમસી દ્વારા ખાડિયા શાળા નંબર 2,4,6,8,18,20,26 અને 32 બંધ થઈ ગઈ છે. રાયખડ ઉર્દું શાળા 7 અને 8 પણ બંધ થઈ ગઈ છે. ત્યારે દેસાઈની પોળમાં સ્કૂલ બંધ કરી AMCએ હેલ્થ સેન્ટર શરૂ કર્યું છે. સ્કૂલો બંધ થતા કોટ વિસ્તારનાં વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં સ્કૂલો બંધ થતા વાલીઓ ઉંચી ફી ભરી બાળકોને બહાર ભણાવવા મજબૂર બન્યા છે. ત્યારે સ્થાનિકોએ બંધ થયેલી સ્કૂલો ફરી ચાલુ કરવાની માંગ કરી છે.
માંડવાળના કોટ વિસ્તાર માં મનપા સંચાલિત 9 સ્કૂલો બંધ થઇ જતા વાલીઓ પરેશાન થયા છે. ખાડિયા ની પોળો ખાલી થઇ જતા આ સ્કૂલો તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ તો કેટલીક સ્કૂલો જર્જરિત ના નામે બન્ધ કરી ત્યાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરી દેવાયા છે.
ખાડિયા ની 9 સ્કૂલો બંધ કરી દેવામાં આવી
કોટ વિસ્તારએ અમદાવાદ ની ઓળખ છે. પરંતુ અહીં હવે ધીરે ધીરે કોમર્શિયલ પ્રવૃત્તિ વધી જેના કારણે રહેણાંક વિસ્તાર ઘટ્યો પરંતુ તેની સીધી અસર અહીં રહેતા બાળકો પર પડી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાડિયા ની 9 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે જેના કારણે અહીં ના સ્થાનિકો એ 3 કિમિ દૂર સ્કૂલ માં જવું પડી રહ્યું છે. મનપા દ્વારા જર્જરિત ઇમારત અને બાળકો ની ઓછી સંખ્યા નું કારણ આપી આ સ્કૂલો છેલા કેટલાય સમય થી બંધ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા શાળાઓ મર્જ કરી દેવાના કારણસર આ સ્કૂલો બન્ધ કરવામાં આવી છે જેમાં ખાડિયા શાળા નંબર 2,4 , 6 ,8, 18,20,26 32 રાયખડ ઉર્દૂ શાળા 7 અને 8 પણ બંધ કરી દેવાઈ છે જેના કારણે વાલીઓ મુશ્કેલી માં મુકાયા છે ..
શાળા બંધ કરી અર્બન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું
દેસાઈ ની પોળ માં આવેલી શાળા નંબરની 32 શાળા મનપા દ્વારા જર્જરિત હોવાનું કારણ આપી બંધ કરી દેવાઈ અને હવે અહીં અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે . બાળકો નું ભાવિ બગાડી આ શાળા બંધ કરી દેવાઈ અને હવે અહીં અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે.
પોળો માં બાળકો ની સંખ્યા ઓછી થાવને કારણે આ શાળા બંધ કરી મર્જ કરવી પડીઃકોર્પોરેટર પંકજ ભટ્ટ
સમગ્ર મામલે ખડિયા આ કોર્પોરેટર પંકજ ભટ્ટ નું કેહવું છે કે શાળાઓ જર્જરિત હતી માટે તે બંધ કરી અન્ય શાળા માં મર્જ કરવામાં આવી છે આ સ્કૂલો જલ્દી થી રીપેર થાય તે માટે પ્રયાસ ચાલુ છે. પોળો માં બાળકો ની સંખ્યા ઓછી થાવને કારણે આ શાળા બંધ કરી મર્જ કરવી પડી છે.
9 સ્કૂલો ના બાળકો દૂર દૂર ની સ્કૂલો માં ભણવા મજબુર બન્યા છે ત્યારે તંત્ર આ જર્જરિત સ્કૂલો પોળો ના બાળકો માટે ક્યારે ફરી શરૂ કરે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ