બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Priyakant
Last Updated: 10:59 AM, 25 March 2024
Mumbai : પાણીપુરી (ભારતીય સ્ટ્રીટ-સાઇડ ફૂડ) અથવા ગોલગપ્પા વેચવું એ દરેક વ્યક્તિ માટે 'ડ્રીમ જોબ' ન હોઈ શકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મુંબઈમાં અરુણ જોષીએ આ બિઝનેસ દ્વારા સફળતાના શિખરને સ્પર્શ કર્યો છે. એક ખાનગી મીડિયા અનુસાર આજે અરુણ જોશીના મુંબઈમાં બે આલીશાન મકાનો છે અને તેમનો એક પુત્ર અમેરિકામાં સ્થાયી છે. જોશીએ જણાવ્યું કે, તેમણે પાણીપુરીના સ્ટોલમાં 5 રૂપિયાના વેતનથી કામ કરીને પ્રગતિની આ સફર કરી છે.
સંગીતકાર આરડી બર્મન તેમના ગ્રાહકોમાંના એક હતા. મુંબઈમાં અરુણ જોષીએ જણાવ્યું કે, તેમના પિતા 60ના દાયકામાં મુંબઈ આવ્યા હતા. તેમણે પાણીપુરીનો સ્ટોલ લગાવ્યો હતો. પિતાએ જીવન જીવવા માટે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો. તે સમય કેટલો મુશ્કેલ હતો તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તેમણે ખાતરી કરી હતી કે, અમારી પ્લેટમાં ખોરાક અને અમારી પીઠ પર કપડાં તો હોવા જ જોઈએ. પુત્રએ જણાવ્યું કે હાથગાડી ચલાવતી વખતે તેના પિતા દુકાન ખરીદવા કવાયત કરી. તેથી જ મારે અને મારા ભાઈ-બહેનોને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું નથી.
ભેલપુરીની લારી પર કામ કર્યું
આ દરમિયાન તેમના પિતા તેમના વ્યવસાયને આગળ લઈ શકે તે પહેલાં તેઓ બીમાર પડ્યા. પરિવારની બચત (રૂ. 60,000) તેની સારવાર પાછળ ખર્ચવામાં આવી હતી. ખર્ચને પહોંચી વળવા અરુણ જોશીએ બીજી ભેલપુરી હેન્ડકાર્ટ માટે કામ કરવાનું શરૂ કર્યું. ચાર વર્ષની મહેનત પછી જોશી પરિવારમાં ખુશીઓ પાછી આવી. તેના પિતાની તબિયતમાં સુધારો થયો અને તેમણે ફરીથી સ્ટોલ ખોલ્યો.
વધુ વાંચો: પરિવાર સામે સેક્સની વાતો કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા- હાઈકોર્ટનો ચુકાદો
કેટરિંગ બિઝનેસ શરૂ કર્યો
વર્ષોથી અરુણ જોશી તેમના વ્યવસાયને વધારવામાં અને મેનુમાં વિવિધતા લાવવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું કે ધીમે ધીમે લોકો અમારી ચાટને પસંદ કરવા લાગ્યા. હું સેલિબ્રિટીનો ફેવરિટ બની ગયો. આરડી બર્મન મારા નિયમિત ગ્રાહક બની ગયા. મેં મારો પોતાનો કેટરિંગ બિઝનેસ પણ શરૂ કર્યો. આ સાથે તેમણે કહ્યું કે, 2012 માં ઘર ખરીદ્યું અને મારી પોતાની દુકાન ખરીદી. જોષી કહે છે કે આ દરમિયાન મને શીખવા મળ્યું કે કોઈ પણ કામ નકામું નથી હોતું. સફળ થવા માટે તમારે માત્ર એક મહાન કામની જરૂર નથી. આજે અરુણ જોશી પાસે બે ફ્લેટ છે અને તેમના બાળકો સારી રીતે સેટલ છે. તેમાંથી એક અમેરિકામાં સ્થાયી થયો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો