બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Premal
Last Updated: 08:19 PM, 16 December 2022
પગે લાગવાના સાચા નિયમ
સનાતન પરંપરામાં આપણાથી મોટા લોકોને પગે લાગવાની પરંપરા સદીઓથી આવી રહી છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા દિવસની શરૂઆત કરતા પહેલા માતા-પિતા, ગુરૂ અથવા ઈશ્વરના ચરણ સ્પર્શ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે પગે લાગવાના અમુક સાચા નિયમ હોય છે, જો તેની અવગણના કરશો તો શુભ ફળના બદલે અશુભ ફળ પ્રદાન થઇ શકે છે. કોઈ ગુરૂ અથવા પછી પૂજા દરમ્યાન કોઈ વરિષ્ઠના કેવીરીતે પગે લાગવુ જોઈએ.
દેવી-દેવતા સાથે જોડાયેલી છે પરંપરા
ચરણ સ્પર્શ કરવાની પરંપરા આજથી નહીં, પરંતુ દેવી-દેવતાઓના સમયથી ચાલી આવી રહી છે. જ્યારે રાજ મહેલોમાં ગુરૂ આવતા હતા તો રાજા જાતે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા હતા. મનાય છે કે સ્નેહીજનો પ્રત્યે સત્કાર પ્રગટ કરવા માટે તેમના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. ચરણ સ્પર્શ નહીં પરંતુ પગને ધોવાથી પણ આશીર્વાદ મળે છે.
પગે લાગવુ અત્યંત છે લાભદાયક
આજના સમયમાં કોઈને પગે લાગવુ એક સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ આ પરંપરા પાછળ ઘણા એવા કારણ છે, જેની પાછળ માનવ માત્રનુ કલ્યાણ થાય છે. માનવામાં આવે છે કે પોતાનાથી મોટા વડીલ અથવા વૃદ્ધ વ્યક્તિના પગનો સ્પર્શ કરવાથી તેમની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારી અંદર આશીર્વાદ રૂપે પ્રવાહિત થાય છે. જેનાથી આપણને સુખ-સમૃદ્ધી મળે છે.
પગે લાગવાના નિયમ
ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ પણ અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ ઝુકીને અથવા પછી ઘુંટણિયે બેસીને પ્રણામ કરે છે, કોઈ સાંષ્ટાગ પ્રણામ કરે છે. જ્યારે કોઈને પગે લાગવા જાઓ તો પોતાના બંને હાથને ક્રોસ કરીને ડાબા હાથથી ડાબા પગ અને જમણા હાથથી જમણા પગે લાગવુ જોઈએ. આ રીતે જ્યારે સાંષ્ટાગ પ્રણામ કરીએ તો પોતાના માથાને બંને હાથની વચ્ચે રાખો અને તમારા શરીરના ઉપરના ભાગને ઝુકાવીને ચરણ સ્પર્શ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ