બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Malay
Last Updated: 02:28 PM, 17 February 2023
સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર દ્વારા સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રોગથી સંક્રમિત 6 અશ્વોને દયામૃત્યુ આપવા આવ્યું છે. અશ્વોમાંથી આ રોગ મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્ર એલર્ટ છે.
6 અશ્વોના સેમ્પલ ગ્લેન્ડર પોઝિટિવ
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગે દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે 20 જેટલા અશ્વોના સેમ્પલ લઈ તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી 6 અશ્વોના સેમ્પલ ગ્લેન્ડર પોઝિટિવ આવ્યા હતા.
તમામને અપાયું દયામૃત્યુ
લાલ દરવાજાના અશ્વોમાં ગ્લેન્ડર પોઝિવિટ હોવાનું સામે આવતા પશુચિકિત્સકો દોડતાં થઈ ગયા હતા. જે બાદ 6 અશ્વોને દયામૃત્યુ મોત આપવાનો આદેશ સુરત કલેક્ટરે દિલ પર પથ્થર મૂકીને આપ્યો હતો. તંત્ર દ્વારા તમામ છ અશ્વને ઇન્જેક્શન આપી દયામૃત્યુ આપવામાં આવ્યું હતું. તમામ છ અશ્વની દફનવિધિ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. 6 ઘોડાના મોત બાદ અજાણીયા જગ્યા પર દફન કરી દેવાયા હતા.
લક્ષણ મનુષ્યોમાં દેખાયાં નથીઃ ડો મયૂર ભીમાણી
સુરત જિલ્લાના નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ જણાવ્યું કે, 'આ રોગ પશુમાંથી મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્રએ આ વિસ્તારના પશુઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. હાલ આ રોગના કોઈ પણ પ્રકારનાં લક્ષણ મનુષ્યોમાં દેખાયાં નથી.'
સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લેન્ડર રોગ પ્રાણીઓમાંથી માનવીઓમાં પણ ફેલાય છે, જેના કારણે માનવીમાં ના ફેલાય તે માટે તાત્કાલિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. તાત્કાલિક અસરથી ભારત સરકારની ગઇડલાઇન્સ મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. SMCની ટીમ દ્વારા અશ્વના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અશ્વોના માલિક અને તેમના પરિવારજનોના ટેસ્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરિવારજનોના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત સુરતના લાલ દરવાજા વિસ્તારના પાંચ કિલોમીટરની ત્રીજ્યામાં અશ્વ, ખચ્ચર અને ગધેડાની હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો