સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ચિંતાજનક વેરિન્યટ જાહેર કરાયો છે.
સાઉથ આફ્રિકામાં મળી આવેલા નવા વેરિયન્ટને નામ અપાયુ ઓમિક્રોન
વિશ્વ આરોગ્ય સંગઠને ચિંતાજનક વેરિન્યટ જાહેર કર્યો
ઓમિક્રોનના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
કોરોના વાયરસના પ્રકોપથી થોડી રાહત મળ્યા બાદ જીવન ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર મોટા ખતરાની ઘંટડી વાગી છે. વૈજ્ઞાનિકો સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રોન વેરિએન્ટ' અંગે ખૂબ જ ભયભીત છે અને વિશ્વને ચેતવણી આપી રહ્યા છે. નવા વેરિએન્ટ દ્વારા ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ સતર્ક બની ગયું છે. તો શું વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે વિશે મોટી ચિંતા ઊભી થઈ છે.
નવા વેરિઅન્ટને 'ઓમિક્રોન નામ અપાયું
હકીકતમાં, વાયરસના પ્રકારને કોઈ દેશના નામ પર રાખવાની કોઈ સત્તાવાર પરવાનગી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ સૂચના આપી છે કે કોઈ વેરિએન્ટને તેના મૂળ દેશ તરીકે નામ ન આપવું જોઈએ. બોત્સ્વાનાને સૌથી વધુ 32 મ્યુટેશન B.1.1.529 મળ્યા હોવાથી તેને ઓમિક્રોન વેરિએન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો શું છે
સાઉથ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર કમ્યુનિકેબલ ડિસિઝે જણાવ્યું કે B.1.1.529 ના સંક્રમણ બાદ હાલમાં કોઈ અસાધારણ લક્ષણો સામે આવ્યા નથી. જોકે ડેલ્ટા જેવા વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની જેમ ઓમિક્રોન વેરિયન્ટનથી સંક્રમિત વ્યક્તિઓમાં લક્ષણો જોવા મળતા નથી.
લોકો અને વ્યક્તિઓએ શું સાવધાની રાખવી
WHOએ જણાવ્યું છે કે દેશો ટેસ્ટિંગ વધારી શકે અને SARS-CoV-2ને સારી રીતે સમજવાના પ્રયાસો કરવા જોઈએ. બીજી તરફ લોકોએ ચહેરો સંપૂર્ણ રીતે ઢંકાય તેવું માસ્ક પહેરવું જોઈએ તથા હેન્ડવોશ કરતા રહેવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, ઘરની અંદર પણ પૂરતો હવાઉજાશ રહે તેવી ખાતરી રાખવી જોઈએ. લોકોએ ભીડભાડ ન કરવી જોઈએ અને સમયસર વેક્સિન લઈ લેવી જોઈએ. હાલમાં ઓમિક્રોન વેરિએન્ટના કેટલા દર્દીઓ
આ વેરિએન્ટના અત્યાર સુધીમાં 125 થી વધુ દર્દીઓ વિશ્વભરમાં મળી આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ ૧૦૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બોત્સ્વાનામાં લગભગ 10, હોંગકોંગમાં બે અને ઇઝરાયલમાં એક દર્દીઓ મળી આવ્યા છે. જોકે, તે ખૂબ ઝડપથી ફેલાય તેવી આશંકા હોવાથી ખળભળાટ મચી ગયો છે.
આ વૅરિયન્ટને ખતરનાક કેમ માને છે નિષ્ણાતો
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન (B.1.1.529)ની શરૂઆતના રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. WHOએ એને વેરિયન્ટ ઓફ કન્સર્ન જણાવ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં 3 ક્ષેત્રમાં દરરોજ મળી આવતા 90% કેસ આ જ વેરિયન્ટના છે, જે 15 દિવસ પહેલાં માત્ર એક જ હતો. વૈજ્ઞાનિકોને આ જ વાત સૌથી વધુ ભયભીત કરી રહી છે, કારણ કે અત્યારસુધીમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો વેરિયન્ટ ડેલ્ટા હતો, જેને કારણે દુનિયામાં ત્રીજી લહેર આવી હતી. વિશ્વભરના નિષ્ણાતો આ પ્રકારના વેરિયન્ટને એક મોટો ખતરો ગણી રહ્યા છે. નિષ્ણાતોના મતે B.1.1.529 વેરિએન્ટમાં ચેપ વધુ ઝડપી ગતિએ ફેલાશે તેવી સંભાવના છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજના વાયરસ નિષ્ણાત ડો. ટોમ પીકોકે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાયરસના નવા વેરિએન્ટની જાણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તે વિશ્વભરમાં મુખ્ય ડેલ્ટા સ્ટ્રેઇન સહિત અન્ય કોઈ પણ વેરિએન્ટ કરતાં વધુ ખરાબ થવાની ક્ષમતા ધરાવે છે. ત્યારથી વૈજ્ઞાનિકોની નજર આ વેરિઅન્ટ પર છે.
ખતરનાક કહેવા પાછળ શું કારણ
B.1.1.529 વેરિએન્ટના 50થી વધુ મ્યુટેશન મળ્યા છે, જેમાંથી 32 મ્યુટેશન તેના સ્પાઇક પ્રોટીનમાં છે. આ વાયરસશરીરના કોષમાં પ્રવેશવા માટે સ્પાઇક પ્રોટીન સુઓ-પાકનો આશરો લે છે. આ ઉપરાંત, રિસેપ્ટરને વેરિએન્ટ સાથે જોડતા ડોમેઇનમાં 10 મ્યુટેશન થયા છે. ડેલ્ટા વેરિએન્ટ્સમાં આવા માત્ર બે પરિવર્તનો હતા જેણે ભારે વિનાશ સર્જ્યું હતું. સ્પાઇક પ્રોટીન સાઇથ ડેલ્ટા પ્લસ વેરિએન્ટમાં ડેલ્ટા વેરિએન્ટ કે ૪૧૭એન મ્યુટેશનનો જન્મ થયો હતો. આ પ્રકારશરીરની રોગપ્રતિકારક શક્તિને અવગણતો હતો, તેથી મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. કોરોના વેક્સિન લેનાર લોકોને આ વેરિયન્ટથી ખતરો છે કે નહીં?
મોટાભાગની કોવિડ રસી સ્પાઇક પ્રોટીન પર હુમલો કરે છે. ઓમિક્રોન વેરિએન્ટના 32 મ્યુટેશન સ્પાઇક પ્રોટીનમાં હોવાથી તે કુદરતી રીતે રસીઓને પણ નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. હોંગકોંગના બંને દર્દીઓએ ફાઇઝર રસીનો ડોઝ લીધો હતો, તેમ છતાં તેમને ચેપ લાગ્યો હતો. વૈજ્ઞાનિકો તેને પૂરતા પુરાવા તરીકે ગણી રહ્યા છે કે નવા પ્રકારથી રસીઓની અસરો પણ દૂર થાય છે.
શું ઓમિક્રોન હવા દ્વારા ફેલાય છે?
હોંગકોંગમાં મળેલા નવા વેરિએન્ટના બંને દર્દીઓએ ફાઇઝર કોરોના રસી આપી હતી. તે આફ્રિકાથી પાછો ફર્યો હતો. તેમને જુદા જુદા ઓરડાઓમાં રાખવામાં આવ્યા હતા. તેમના નમૂનાઓના પરીક્ષણમાં મોટી માત્રામાં વાયરસ જોવા મળ્યો. ડોકટરો માને છે કે નવું વેરિએન્ટ હવા દ્વારા ફેલાઈ રહ્યું છે. તેથી જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ પણ આ ધમકી પર વિચાર ણા કરવા માટે આજે ઇમરજન્સી બેઠક બોલાવી છે.
ઓમિક્રોન પ્રત્યે વિશ્વભરની પ્રતિક્રિયા કેવી
બી.૧.૧.૫૨૯ વેરિએન્ટ વિશે આખી દુનિયાને ચેતવણી આપવામાં આવી છે. આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ બંધ થવા લાગી છે. ઇઝરાયલે સાત આફ્રિકન દેશોની મુસાફરી પર પ્રતિબંધો લાદ્યા છે. ઇઝરાયલ સરકારે એસ આફ્રિકા, લેસેથો, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નામિબિયા અને ઇસ્વતિની જેવા દેશોને લાલ યાદીમાં મૂક્યા છે. દરમિયાન, યુકેએ છ આફ્રિકન દેશોમાંથી અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ દેશોની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. સિંગાપોરે આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ પણ બંધ કરી દીધી છે.
ભારત સરકારે બી.1.1.529 વેરિએન્ટને ધ્યાનમાં રાખીને કયા પગલાં લીધાં
દરમિયાન, ભારત સરકારે રાજ્યોને તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો પર સઘન તપાસ કરવા જણાવ્યું છે. ખાસ કરીને એસ.આફ્રિકા, હોંગકોંગ અને બોત્સ્વાનાથી સીધા આવતા અથવા પસાર થતા લોકોની કડક સ્ક્રીનિંગનું નિર્દેશન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રોમાં કહ્યું છે કે આવા લોકોના સ્થાન પર નજર રાખવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં સકારાત્મક મળેલા લોકોના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ મારફતે વેરિએન્ટને શોધવા માટે તાત્કાલિક લેબમાં મોકલવા જોઈએ. શું નવીનતમ પરિસ્થિતિની અસર શેરબજારો પર પણ પડી છે?
હા, વિશ્વભરના શેરબજારોમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, કોરિયા, ન્યૂઝીલેન્ડ સહિતના શેરબજારો પર નાસભાગ મચી ગઈ હતી. ભારતમાં પણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના સેન્સેક્સમાં સવારે 13.30 વાગ્યાની આસપાસ 1,300થી વધુ પોઈન્ટ્સ નું નુકસાન થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી પણ 372 પોઇન્ટ ઘટ્યો હતો.
વિટામીન ડી વધારવું પડશે-કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય
દેશ અને દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટે ચિંતા વધારે છે ત્યારે નવા વેરિયએન્ટને લઈને ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલીપ માવલંકરે નવા વેરિએન્ટને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે નવા વેરિએન્ટલે લઈને લોકોને સભાન થવું પડશે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે, તેમજ વેક્સિનેશનની પ્રક્રિયા થવી ખુબ જરૂરી છે...તેમણે વધુમાં કહ્યું કે જે પણ નવા કેસ આવે છે તેવું જેનેટિક સિક્વન્સી કરવી જરૂરી છે..નવા વેરિયન્ટના લક્ષણોમાં ખાસ ફરક જોવા મળતા નથી, જે પણ લોકો બહારથી આવે તેમણે RT-PCR રિપોર્ટ કરવો જરૂરી છે, તેમજ ઈમ્યુનિટી વધારવા માટે વીટામિન ડી પણ ખૂબ મહત્વનું છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
કોરોનાના નવા ઓમીક્રોન વેરિઅન્ટને લઇ ગુજરાત સરકાર એલર્ટ
દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું તેને લઈને ખૂબ જ ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વેરિયન્ટનાં કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે, WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખતરનાક છે.