બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Not only Justin Trudeau, his father too has spoiled the relationship with India, see what was the controversy

વિવાદ / માત્ર જસ્ટિન ટ્રુડો જ નહીં, તેઓના પિતા પણ ભારત સાથે બગાડી ચૂક્યાં છે સંબંધ, જુઓ કયા મુદ્દે થયો હતો વિવાદ

Megha

Last Updated: 03:54 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ઇલિયટ ટ્રુડો જાન્યુઆરી 1971માં ભારતની પાંચ દિવસની મુલાકાતે આવ્યા હતા. ભારત અને કેનેડા વચ્ચેના ખરાબ સંબંધો પિયરના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા.

  • જસ્ટિન ટ્રુડોના પિતા 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા
  • પિયર ઇલિયટ ટ્રુડોના સમયમાં પણ ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા
  • 1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ કર્યો હતો

ભારત અને કેનેડા વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો પછી જે પ્રકારનો તણાવ અને પરિસ્થિતિ જોવા મળી રહ્યા છે એ એમના પિતા અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન પિયરે ઇલિયટ ટ્રુડોની યાદ અપાવી રહી છે. નોંધનીય છે કે જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાનો દાવો કર્યા બાદ વિવાદ સર્જાયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પિયરે ઇલિયટ ટ્રુડોના સમયમાં પણ ભારત-કેનેડા સંબંધો બગડ્યા હતા. 

જસ્ટિન ટ્રુડોના પિતા 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા
જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન તરીકે 2018માં ભારત આવ્યા તે પહેલા એમના પિતા જાન્યુઆરી 1971માં ભારતની મુલાકાતે આવ્યા હતા. જણાવી દઈએ કે કેનેડિયન ફોરેન સર્વિસના ભૂતપૂર્વ અધિકારી ગાર પારડીએ એક પુસ્તકમાં તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. એમને જણાવ્યું છે કે એમની પાંચ દિવસની મુલાકાત દરમિયાન તેઓ કેવી રીતે પિયર ટ્રુડો તાજમહેલ જોવા ગયા હતા. સાથે જ એવું કહેવાય છે કે ભારત અને કેનેડા વચ્ચેના ખરાબ સંબંધો પિયરના કાર્યકાળ દરમિયાન શરૂ થયા હતા. જો કે કહેવાય છે કે મુદ્દો ખાલિસ્તાનનો નહોતો પરંતુ ભારતના પ્રથમ પરમાણુ વિસ્ફોટનો હતો.

સંબંધ બગડવાની શરૂઆત કેવી રીતે થઈ? 
થયું એવું કે કેનેડા ડ્યુટેરિયમ યુરેનિયમ (CANDU) રિએક્ટરે પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે યુરેનિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી અને ભારત જેવા દેશોને તેનો ફાયદો થયો. પણ તેણે પ્લુટોનિયમની ઍક્સેસ પણ આપી જેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થાય છે. અમેરિકા અને કેનેડા બંનેએ ભારતને પરમાણુ ઊર્જા પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. તેમની મદદથી CIRUS પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યું હતું, જે જુલાઈ 1960 માં કાર્યરત થયું હતું. 

1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ કર્યો હતો
કેનેડાના તત્કાલીન વડાપ્રધાન પિયર ટ્રુડોએ કહ્યું હતું કે કાર્યક્રમનો હેતુ શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓનો છે. જો ભારત પરમાણુ શસ્ત્રો બનાવે છે, તો કેનેડા પરમાણુ સહયોગ સમાપ્ત કરશે. 1974માં ભારતે પોખરણમાં પહેલો પરમાણુ વિસ્ફોટ પણ કર્યો હતો. આ માટે CIRUS રિએક્ટરમાંથી પ્લુટોનિયમની મદદ લેવામાં આવી હતી. ભારતે કહ્યું કે આ શાંતિપૂર્ણ હેતુઓ માટે કરવામાં આવ્યું છે પરંતુ પિયર ટ્રુડોની સરકારે ભારતના પરમાણુ કાર્યક્રમમાંથી ટેકો પાછો ખેંચી લીધો.  

કેનેડા પર જોરદાર આતંકવાદી હુમલો થયો હતો 
આ રીતે કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ શરૂ થયો. જો કે, ખરાબ સંબંધોના કેન્દ્રમાં માત્ર પોખરણ પરીક્ષણ જ નહોતું, પરંતુ ખાલિસ્તાનનો મુદ્દો પણ વિવાદનું હાડકું બની ગયો હતો. વાસ્તવમાં, પિયર ટ્રુડોની સરકાર ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી રહી ન હતી. જેના કારણે કેનેડા પર જોરદાર આતંકવાદી હુમલો થયો, જેમાં 300થી વધુ લોકો માર્યા ગયા. બબ્બર ખાલસાના આતંકવાદી તલવિંદર સિંહ પરમારે ટોરોન્ટોથી લંડન જઈ રહેલા પ્લેનને ઉડાવી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ