બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / No one talks about the 8th Pay Commission! Modi government announced
Priyakant
Last Updated: 01:06 PM, 5 August 2022
દેશમાં ઘણા સમયથી 8મા પગાર પંચ માટે ચર્ચાઓ ચાલી રહી છે. જેને લઈને દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા રહે છે, પરંતુ તેનો અમલ થશે કે કેમ તે અંગે શંકા હતી. પરંતુ હવે આ મામલે મોદી સરકાર તરફથી એક નવું અપડેટ આવ્યું છે. જેમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આઠમું પગાર પંચ આવવાનું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા આવા કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારા માટે 8મું કેન્દ્રીય પગાર પંચ લાવવાનું કહેવામાં આવી રહ્યું છે.
શું કહ્યું કેન્દ્રીય નાણારાજ્ય મંત્રીએ ?
કેન્દ્રીય નાણારાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કોઈ દરખાસ્ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે, શું એ વાત સાચી છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. તેના પર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે તે આવવાનું નથી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે, એવું સૂચન કરવામાં આવ્યું છે કે, સમયાંતરે પે મેટ્રિક્સમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે આગામી પગાર પંચની જરૂર નથી. આવી સ્થિતિમાં એક્રોયડ ફોર્મ્યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્ય માણસ માટે જરૂરી વસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.
મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારો ?
વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો DA (મોંઘવારી ભથ્થું) અને DR (મોંઘવારી રાહત)માં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકાર ડીએ વધારશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime